Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાલથી ગુજરાતમાં આ નિયમનો અમલ

કાલથી ગુજરાતમાં આ નિયમનો અમલ
, રવિવાર, 31 જુલાઈ 2022 (12:40 IST)
નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે નિર્ણયમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે. જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થળો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ CCTV કેમેરા લગાવવાના રહેશે. 
 
તેમજ 30 દિવસના CCTV ફૂટેજ સાચવવા પડશે. જાહેર સલામતિ સમિતિ દ્વારા ભલામણ કરાયેલા પગલાં 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે. . 
 
રાજ્ય સરકારે નાગરિકો પણ સુરક્ષા અને સલામતી કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022નો સોમવાર 1 ઓગસ્ટ-2022થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. આ 8 મહાનગરમાં અમલ કરાશેઆ અધિનિયમ પ્રથમ તબક્કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ 8 મહાનગરોમાં અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લમ્પી વાયરસથી હજારો ગાયોના મોત