Publish Date: Tue, 05 Jun 2018 (12:08 IST)Updated Date: Tue, 05 Jun 2018 (12:38 IST)
કચ્છના મુન્દ્રા પાસે બેરજા ગામના ગૌચરમાં મંગળવારે સવારે એરફોર્સનું એક વિમાન તૂટી પડ્યું હતું. તેમાંપાયલોટનું મોત થયુ હતુ. ગૌચરમાં ચરી રહેલી કેટલીક ગાયોના પણ મોત નિપજ્યા હતા. ગૌચરમાં ચરી રહેલા ગાયોમાંથી કેટલીક ગાયોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં જ જામનગર એરફોર્સ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી.