Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધીમે ધીમે કોરાનામુક્ત બની રહ્યું છે ગુજરાત, આજે 500થી ઓછા નોંધાયા નવા કેસ, 6ના મોત

ધીમે ધીમે કોરાનામુક્ત બની રહ્યું છે ગુજરાત, આજે 500થી ઓછા નોંધાયા નવા કેસ, 6ના મોત
, શનિવાર, 12 જૂન 2021 (20:51 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500 ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 490 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 1,278 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,99,012 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.46 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 10,863 એક્ટિવ દર્દી છે, જે પૈકી 272 લોકો વેન્ટિલેટર પર છે અને 10,591 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,99,012 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,991 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને જુનાગઢ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
 
આ ઉપરાંત જુનાગઢમાં 1, ભરૂચમાં 1, અને અરવલ્લીમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,94,583 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છેલ્લા એક વર્ષમાં 800થી વધારે ગર્ભપાતની કિટોનું ઓનલાઇન વેચાણ, એમેઝોનથી વેપાર કરતા 8 શખસ સામે ગુનો દાખલ