Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત હાઈકોર્ટે ફરી સાબરમતીના પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો

ગુજરાત હાઈકોર્ટે ફરી સાબરમતીના પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો
, રવિવાર, 11 ડિસેમ્બર 2022 (14:26 IST)
ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણ પર 16 ડિસેમ્બરે પીઆઈએલની સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.
 
આ પીઆઈએલની આઠ મહિના પહેલા હાઈકોર્ટ દ્વારા વિસ્તૃત સુનાવણી હાથ ધરાઈ હતી.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર, મે મહિનામાં જસ્ટિસ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થયા બાદ આ મામલાને પાછળ મૂકવામાં આવ્યો હતો.2021માં, જસ્ટિસ પારડીવાલાએ પીરાણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)ની ખામી વિશેના સમાચાર અહેવાલનું સ્વ-સંજ્ઞાન લીધું હતું. આ અહેવાલ અનુસાર, સાબરમતી નદીમાં ટ્રિટમૅન્ટ ન કરાયેલ ગંદુ પાણી છોડવાના કારણે જળપ્રદૂષણમાં વધારો થયો હતો.
 
એમિકસ ક્યૂરી હેમાંગ શાહે શુક્રવારે જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ વીડી નાણાવટીની ખંડપીઠને પીઆઈએલની સુનાવણી કરવા વિનંતી કરી હતી, જેના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (એએમસી) દ્વારા 300થી વધુ ઔદ્યોગિક એકમોના ડ્રેનેજ કનેક્શનને બંધ કરી દેવામાં આવ્યાં હતાં. આ એકમો ટ્રિટમૅન્ટ ન કરાયેલા અથવા અપૂરતી રીતે ટ્રિટમૅન્ટ કરાયેલા ઉદ્યોગના ગંદા પાણીનો શહેરની ગટરવ્યવસ્થામાં નિકાલ કરતાં હતાં. આમ ઔદ્યોગિક કચરો નદીમાં ઠલવાતો હતો. જેના કારણે હાઈકોર્ટે એએમસી અને ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ને કડક તકેદારી રાખવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે શહેરની હદમાં આવેલાં મોટાં ટૅક્સટાઇલ એકમોને બંધ કરવામાં આવ્યાં હતાં.
 
અમદાવાદ મેગા ક્લીન ઍસોસિયેશન (એએમસીએ)એ તેના ટ્રીટમેન્ટ કરેલા ગંદા પાણીને મેગા પાઈપલાઈનમાં ડિસ્ચાર્જ કરવાની પરવાનગી આપ્યા બાદ અમદાવાદ શહેરની હદમાં આવેલા મુખ્ય કાપડ એકમો પૈકીના એક 'આશિમા લિમિટેડેટ' કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. શુક્રવારે, હાઈકોર્ટે જીપીસીબીને મેગા પાઈપલાઈન સાથે ડિસ્ચાર્જ કનેક્શનની પરવાનગી માટે આશિમાની અરજી પર વિચાર કરવા જણાવ્યું હતું.
 
પર્યાવરણવાદી અને હાઈકોર્ટ દ્વારા નિયુક્ત સંયુક્ત કાર્યસમિતિના સભ્ય રોહિત પ્રજાપતિએ મેગા પાઇપલાઇનના પર્યાવરણીય ધોરણોનું પાલન કરવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
 
તેમણે કહ્યું કે ભલે એવો દાવો કરવામાં આવે કે મેગા પાઈપલાઈનમાં ઉદ્યોગોના ગંદા પાણીને કૉમન ઍફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (સીઈપીટી) પર સંપૂર્ણ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, પરંતુ નદીના વહેણમાં પ્રદૂષણ અલગ જ સ્થિતિ બયાન કરે છે.
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ishudan Gadhvi- ઈસુદાને સોશિયલ મીડિયા પર લખ્યું, “સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, સત્તા તો પહેલા પણ હતી”