Publish Date: Sun, 26 Sep 2021 (10:55 IST)
Updated Date: Sun, 26 Sep 2021 (10:58 IST)
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આવતીકાલથી રાત્રે કરફ્યૂનો સમય 1 કલાક વધારવામાં આવ્યો છે. હવેથી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રહેશે.
આ સિવાય આગામી સમયમાં આવનારા નવરાત્રિના તહેવારોને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જો કે ક્લબ અને પાર્ટી પ્લોટોમાં ગરબા રમવાની પરવાનગી નથી આપવામાં આવી.
400 વ્યક્તિની મર્યાદામાં છૂટ અપાઈ
10 ઓક્ટોબર સુધી રાત્રિ કર્ફ્યૂમાં કલાકની રાહત
રાત્રે 12 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ
અંતિમક્રિયા,દફનવિધિમાં 100 લોકોને છૂટ
રેસ્ટોરન્ટને 75 ટકા ગ્રાહકોની છૂટ અપાઈ
બાગ બગીચા રાત્રે 10 સુધી ખુલ્લા રહેશે