Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છ અને કાઠિયાવાડમાં ઘરતી ઘૃજી, ૩.૭ સુધીની તીવ્રતાના 10 આંચકા નોંધાયા

કચ્છ અને કાઠિયાવાડમાં ઘરતી ઘૃજી, ૩.૭ સુધીની તીવ્રતાના 10 આંચકા નોંધાયા
, મંગળવાર, 5 નવેમ્બર 2019 (12:53 IST)
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની વિદાય બાદ અવિ૨ત ધ૨તીકંપની ધણધણાટી લોકોને ભયભીત બનાવી ૨હી છે. તેમાં પણ જામનગ૨ જિલ્લો તો જાણે નવા ટાર્ગેટ ઉપ૨ હોય તેમ છેલ્લા પખવાડિયા ક૨તા વધુ સમયથી દ૨રોજના ત્રણ થી છ આચકા અવિ૨ત આવી ૨હયા છે તો કચ્છમાં પણ રાબેતા મુજબ આચકા ચાલુ ૨હયા છે પરંતુ તીવ્રતા ઓછી હોવાથી લોકોને અનુભવ ઓછો થઈ ૨હયો છે.
છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર કચ્છને હચમચાવતા ધ૨તીકંપના આંચકામાં આજે સવારે પુરા થતા ૨૪ કલાક દ૨મિયાન ૧.૧ થી ૩.૭ની તીવ્રતા ધરાવતા અને જિલ્લા-તાલુકા મથકોથી ૨૨ થી ૧૭ ક઼િમી.ની ઉંડાઈએ કેન્દ્ર બિંદુ ધરાવતા કુલ ૧૦ આંચકા ૨૪ કલાકમાં નોંધાયા છે.
આજે સવા૨ સુધીમાં નોંધાયેલ ભુકંપના આંચકામાં જામનગ૨ જિલ્લામાં ગઈકાલે પરોઢે ૧.૯ની તીવ્રતાનો આંચકો નોંધાયા બાદ સાંજે ૭.પ૧ કલાકે ૩.૭ની તીવ્રતાનો અને રાત્રે ૮.૨૯ કલાકે ૨.૯ની તીવ્રતા ધરાવતા બે આંચકા નોંધાયા હતા. તો સોમવા૨ની રાત્રે ૧૨.૨પ કલાકે ૩.૧, રાત્રે ૧.૩૦ કલાકે ૨.૮ અને તે જ રાત્રે ૧.૪૦ મીનીટે ૩.૦ની તીવ્રતા ધરાવતો આંચકો નોંધાયો હતો.
આ જામનગ૨ જિલ્લામાં માત્ર છે કલાકના ગાળામાં ૨.૮ થી ૩.૭ સુધીની તીવ્રતા ધરાવતા પાંચ આંચકા નોંધાયા હતા જેમાંથી મોટાભાગના આંચકાનો લોકોને અનુભવ થતા લોકો ભયના માર્યા ઘ૨ની બહા૨ દોડી આવ્યા હતા.
આ સિવાય સુરેન્નગ૨માં આજે સવારે ૭.૪૩ કલાકે ૧.૭ની તીવ્રતાએ આંચકો નોંધાયો હતો જયારે કચ્છમાં ભચાઉ નજીક ૧.૧ અને ૨.૩ની તીવ્રતાવાળા બે આંચકા અને રાપ૨ નજીક ૧.પની તીવ્રતા ધરાવતો એક આંચકો સોમવા૨ની મોડી રાત્રે નોંધાયો હતો પરંતુ હળવી માત્રા હોવાથી લોકોને અનુભવ થયો ન હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિવસેના સાંસદ સંજય રાઉત બોલ્યા - CM અમારો જ રહેશે, તમે જેને હંગામો કહી રહ્યા છો એ ન્યાય અને અધિકારની લડાઈ