Publish Date: Sun, 25 Apr 2021 (21:08 IST)
Updated Date: Sun, 25 Apr 2021 (21:09 IST)
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં બેદરકારીનો એક કેસ સામે આવ્યો છે. ઝાંસીની મેડિકલ કૉલેજના અધિકારીઓએ જે મહિલાની કોરોના વાયરસથી મોત થવાની પુષ્ટિઅ કરી હતી તે શનિવારે જિંદા મળી. રિપોર્ટસના મુજબ
મહિલાનો નામ રાજકુમારી ગુપ્તા છે અને તેમની ઉમ્ર 65 વર્ષની છે. તેની ઓળખ સંખ્યા JHAN0029658574 છે. તેને હોસ્પીટલના અધિકારીઓ શુક્રવારને કોરોનાના કારણે મૃત જણાવ્યો હતો.
જાણકારી મુજબ મહિલાને 23 એપ્રિલને હોસ્પીટલમાં ભરતી કરાવ્યો હતો અને તેની મૃત્યુ થઈ ગઈ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફની સાથે ગળામાં ખરાશ, તાવ અને ખાંસી થઈ રહી હતી. હોસ્પીટલની
બેદરકારીની ખબર શનિવારે ત્યારે ખબર પડી જ્યારે કેટલાક લોકોએ તેમના સંબંધીઓથી સંપર્ક કર્યો.
પછી એક વીડિયો ક્લિપ પણ વાયરલ થઈ જેમાં રાજકુમારી તેમના ઘરની બાલકનીમાં ઉભી જોવાઈ અને તે કહે છે કે હુ તો એક અઠવાડિયા પહેલા ઠીક થઈ ગઈ છુ અને સ્વસ્થ છું. મીડિયા રિપોર્ટસના મુજબ ઝાંસી મેડિકલ કૉલેજના પ્રિસિંપલ ડૉ. નરેન્દ્ર સિંહ સેંગરનો કહેવુ છે કે આ ભૂલ એક જેવા નામના કારણે થઈ. તે નામની એક મહિલાની ગુરૂવારની રાત્રે કોવિડથી મોત થઈ ગઈ હતી.
તેણે કીધુ કે મૃતકના પરિવારના સભ્યોએ હોસ્પીટલના આઈસીયૂ વાર્ડમાં પ્રવેશ કર્યુ અને હંગામો શરૂ કરી દીધું. તેણે તે સમયે મેડિકલ સ્ટાફની સાથે મારપીટ કરી જેના માટે તેણીને સામે પ્રાથમિકી દાખલ થઈ. આ મારપીટના સમયે ફાઈલ આપસમાં મળી ગઈ જેનાથી આ ગેરસમજ થઈ.