Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સીએનજી પંપચાલકોની હડતાલ મોફૂક, મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે માંગણીઓ

સીએનજી પંપચાલકોની હડતાલ મોફૂક, મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે માંગણીઓ
, શુક્રવાર, 3 માર્ચ 2023 (08:42 IST)
ગુજરાતના CNG પંપ સંચાલકોએ 3 માર્ચથી અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી હતી. તેમના ડીલર માર્જિનમાં ઘણા વર્ષોથી વધારો થયો નથી. આ કારણોસર, સંચાલકોએ સવારે 7 વાગ્યાથી તેમના પંપ અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ હડતાલ મોકૂફ રાખવામાં આવી છે. ગુરુવારે ગાંધીનગરમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (FGDPA)ના સભ્યો, તેલ કંપનીઓના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
FGDPAના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. બેઠકમાં સંતોષકારક ખાતરી મળી હતી. જે બાદ અમે હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં 900 સીએનજી સ્ટેશન છે. બેઠકમાં આ મહિનાના અંત સુધીમાં તેમની માંગણીઓ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
 
પંપ ઓપરેટરોને ગુજરાતમાં વેચાતા સીએનજીના કિલો દીઠ રૂ. 1.7નું માર્જિન આપવામાં આવે છે. પંપ ઓપરેટરો આ જ ડીલર માર્જિનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ કમિશનમાં વાર્ષિક 10 ટકા વધારાની માંગ કરવામાં આવી રહી છે.
 
હકીકતમાં, 55 મહિનાથી સીએનજી પંપ ઓપરેટરોના ડીલર માર્જિનમાં કોઈ વધારો થયો નથી. તેઓ કહે છે કે આના કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પણ મુખ્ય કારણ છે, જેના કારણે 3 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. એસોસિએશનના સભ્યો અને અધિકારીઓ વચ્ચે બેઠકમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર અને તેલ કંપનીઓએ ડીલરને માર્જિન આપવાનું વચન આપ્યું છે. તેની સમયમર્યાદા પણ માર્ચના છેલ્લા સપ્તાહ સુધી નક્કી કરવામાં આવી છે. જ્યારે તેમની માંગણીઓ અંગે બેઠકમાં રસ્તો મળી આવ્યો, ત્યારે એસોસિએશને હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
 
FGDPAના પ્રમુખ અરવિંદ ઠક્કર કહે છે કે છેલ્લા ચાર વર્ષથી ડીલર માર્જિનમાં વધારો થયો નથી. આ દરમિયાન કોરોના મહામારીનો મુશ્કેલ સમય પણ પસાર થયો. તેમ છતાં ડીલર માર્જિન વધ્યું નથી. હવે અમારી પાસે હડતાળ પર જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સંકટમાં ફસાયેલા અદાણી ગ્રૂપે વેચી પોતાની 4 કંપનીઓની ભાગીદારી, જાણો બજાર પર શું થશે અસર