Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bhavnagar Complex Fire: ભાવનગરના એક કૉમ્પ્લેક્સમાં ભીષણ આગ, ઈમારતમાં 10-15 હોસ્પિટલ

Bhavnagar hospital fire
, બુધવાર, 3 ડિસેમ્બર 2025 (12:24 IST)
Bhavnagar Complex Fire: ભાવનગર નજીક એક કોમ્પલેક્સમાં આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોમ્પલેક્સમાં ત્રણ-ચાર હોસ્પિટલો છે. અનેક હોસ્પિટલો આગની લપેટમાં આવી ગઈ હતી. ત્યાં દાખલ દર્દીઓને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા. સૂત્રો દર્શાવે છે કે 15 થી 20 બાળકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કાચ તોડીને બાળકો અને અન્ય દર્દીઓને બચાવવા પડ્યા હતા.

 
બધા દર્દીઓને તાત્કાલિક સર ટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, અને રાહતની વાત છે કે કોઈ જાનહાનિ થઈ નથી. માહિતી મળતાં, પાંચ ફાયર ટેન્ડર અને 50 કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. આગ એટલી ફેલાઈ ગઈ હતી કે તેને ઓલવવામાં એક કલાક લાગ્યો.
 
આસપાસના લોકોએ કાચ તોડીને અંદરથી બાળકોને કાઢ્યા બહાર 
એવું કહેવાય છે કે બિલ્ડિંગના પહેલા માળે આવેલી હોસ્પિટલમાં લગભગ 20 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. આગ લાગતા જ, ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, પરંતુ રહેવાસીઓએ તેમના આવવાની રાહ જોઈ ન હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બારી પર સીડી મૂકી, બાળકોને ચાદરમાં લપેટ્યા અને એક પછી એક તેમને બહાર કાઢવાનું શરૂ કર્યું. તેમની સતર્કતા અને હાજરીથી બાળકોના જીવ બચી ગયા.
 
અહેવાલો અનુસાર, જે બિલ્ડિંગમાં આગ લાગી તે ભાવનગરનું "સમીપ કોમ્પ્લેક્સ" છે. તેમાં અનેક ઓફિસો, બાળકોની હોસ્પિટલ અને અન્ય ઘણી હોસ્પિટલો આવેલી છે. આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. પોલીસ અને ફાયર વિભાગની ટીમોને એલર્ટ કરવામાં આવી હતી અને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જનતા અને વહીવટીતંત્રની હાજરીને કારણે, અંદર ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
 
આગ બિલ્ડિંગના ભોંયરામાં લાગી હતી.
લગભગ એક કલાકની મહેનત પછી આગ પર કાબુ મેળવ્યો હતો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આટલા ભીડવાળા કોમ્પ્લેક્સમાં એક જ બિલ્ડિંગમાં બાળકોની હોસ્પિટલ અને અનેક હોસ્પિટલો હોવી કેટલી યોગ્ય છે? આગ ઇમારતના ભોંયરામાં લાગી હતી, જેનો ઉપયોગ પાર્કિંગ માટે થવાનો હતો, પરંતુ તેનો ઉપયોગ બીજા કોઈ કામ માટે થઈ રહ્યો છે.
 
હાલ એ તપાસ કરવામાં આવી રહી છે કે આગ કેવી રીતે લાગી. આ કોઈ ચમત્કારથી કમ નથી કે આટલી વિકરાળ આગમાં કોઈના જાનમાલને નુકશાન થયુ નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Delhi MCD Bypoll Results: 12 સીટો પર કોણે ક્યાથી નોંધાવી જીત, સૌથી ઓછા-વધુ માર્જીનથી કોણ જીત્યુ, જાણો આખુ લિસ્ટ