Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બનાસકાંઠા અકસ્માત, એક પરિવારના ચારના મોત

બનાસકાંઠા અકસ્માત, એક પરિવારના ચારના મોત
બનાસકાંઠા: , શનિવાર, 10 સપ્ટેમ્બર 2022 (15:18 IST)
બનાસકાંઠાના ધાનેરાના એક પરિવારને રાજસ્થાનના બાડમેર નજીક અકસ્માત નડ્યો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અકસ્માતમાં 8 વર્ષના બાળકની હાલત ગંભીર જણાતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
 
 ધાનેરાનો મહેશ્વરી પરિવાર રાજસ્થાનના ભટીયાણી માતાજીના દર્શન કરી ગાડીમાં ધાનેરા પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. મહેશ્વરી પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારના 4 લોકોના મોત થયા છે. જ્યારે એક 8 વર્ષની બાળકીની હાલત ગંભીર છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગ્રામ્ય વિસ્તારમાં રખડતા-બિનવારસી ગૌવંશના પશુઓને યોગ્ય રહેઠાણ અને માવજતની વ્યવસ્થા મળશે