Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોરબીની દુર્ઘટના બાદ અમદાવાદનું તંત્ર એલર્ટ,અટલ બ્રિજ પર હવેથી દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ

features of the Atal Bridge
, સોમવાર, 31 ઑક્ટોબર 2022 (15:57 IST)
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બનતા હવે જાહેર સ્થળો પર મર્યાદિત લોકો એક સમયે રહે તેના માટેના નિર્ણયો લેવાના શરૂ થયા છે જેમાં અમદાવાદના સાબરમતી નદી પર બનાવવામાં આવેલા અટલ બ્રિજ પર હવે દર કલાકે મર્યાદિત લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. અટલ બ્રિજ પર હવે એક કલાકમાં માત્ર 3000 મુલાકાતથીઓ જ પ્રવેશ મેળવી શકશે તેનાથી વધારે એક પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને અટલ બ્રિજ મજબૂત હોવા છતાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મોરબીના ઝુલતા પુલ તૂટવાની ઘટના બાદ હવેથી અટલ બ્રિજ પર મર્યાદિત લોકોને પ્રવેશ આપવામાં આવશે. અટલ બ્રિજ ની હાલની ક્ષમતા અને મજબૂતાઈ મુજબ એક સાથે 12000 લોકો બ્રિજ ઉપર ઉભા રહી શકે છે પરંતુ લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને હવેથી દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. અટલબિજનું સ્ટ્રક્ચર ખૂબ જ મજબૂત છે પરંતુ સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લોકોને અપીલ છે કે જો 3,000 થી વધારે લોકો થઈ જાય તો થોડા સમય લોકો બહાર નીકળી જાય ત્યારબાદ અંદર પ્રવેશ મેળવે તેટલો સહકાર તંત્રને આપવામાં આવે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોરબી જલારામ મંદિર ખાતે ગુરુવારે જુલતા પુલ દુર્ઘટના ના દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ સભા યોજાશે