Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતના પાંડેસરામાં સમોસાની લાલચ આપી નરાધમે 5 વર્ષના બાળકનું અપહરણ કર્યું

Abduction of a 5-year-old child
, મંગળવાર, 28 નવેમ્બર 2023 (18:19 IST)
Abduction of a 5-year-old child
સુરતના પાંડેસરામાંથી પાંચ વર્ષના બાળક સાથે અનૈતિક કૃત્ય કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ ઘર પાસે રમી રહેલા બાળકને સમોસા ખાવાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો. બાળકના પિતાને આ મામલે જાણ થતાં જ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તાત્કાલિક ધોરણે અપહરણનો ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે મામલાની ગંભીરતાને જોતા સૌપ્રથમ આસપાસમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. CCTV ફૂટેજમાં અજાણ્યો શખ્સ 5 વર્ષના બાળકને પોતાની સાથે પાંડેસરાના ગોવાલક રોડ તરફ લઇ જતો નજરે ચડ્યો હતો. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ આરોપી બાળકને સોસાયટીની પાસે મૂકી ગયો હતો. બાદમાં બાળક પરિવાર સુધી પહોંચ્યુ હતુ. બાળકે પરિવારને શરીરમાં દુખાવાની ફરિયાદ કરતા માતા-પિતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સૌપ્રથમ ખાનગી અને ત્યારબાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. તબીબી તપાસમાં માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા પોલીસે વધુ કલમોનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરવાના પ્રયાસો તેજ કર્યા હતા. પોલીસે આરોપીને પકડવા જુદી જુદી ટીમો કામે લગાવી હતી. પોલીસની જુદી જુદી ટીમો દ્વારા ગોવાલક રોડ ઉપર આવેલ દુકાનો અને ઘરોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. જેમાં સાગર પરશુરામ બહેરા નામના શખ્સે માસૂમ જોડે કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતુ. આરોપીની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ઉધના વિષ્ણુનગર ખાતેથી સાગર પરશુરામ બહેરા નામના મૂળ ઓરિસ્સાના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઘર બહાર રમતા બાળકનું સમોસાની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું. નરાધમ પોતાની હવસ સંતોષવા માસૂમ બાળકને ઉધના સોનલ રોડ ઉપર આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યારબાદ અહીં આવેલા એક બંધ મકાનમાં બાળક જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પોલીસ તપાસમાં આરોપી મૂળ ઓરિસ્સાના બલેશ્વર જિલ્લાના શિમોલિયા તાલુકાના પુનિયારી ગામનો વતની હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં માવઠાથી પાકને થયેલા નુકસાનનો સરવે થયા બાદ સહાય ચૂકવાશે