Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

100 પરિવારના 600 લોકોએ ઇચ્છામૃત્યું માટે હાઇકોર્ટ કરી અરજી, જાણો શું છે સમગ્ર મામલો

600 લોકોએ ઇચ્છામૃત્યું માટે હાઇકોર્ટ કરી અરજી
, શુક્રવાર, 6 મે 2022 (10:46 IST)
પોરબંદર જિલ્લાના ‘ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજ’ અગ્રણીઅલ્લારખ્ખા ઇસ્માઇલભાઇ થીમ્મર દ્વારા એક મહત્વપૂર્ણ બાબતને લઈને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી છે.  અરજદાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ માંગ કરાઇ છે કે, એકીસાથે એટલે કે સામુહિક રીતે 600 લોકોને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે. ઈચ્છા મૃત્યુ માટેનું કારણ આગળ ધરતા રજૂઆત કરાઈ છે કે, પાછલા 100 વર્ષથી મુસ્લિમ સમાજના લોકો ગોસાબારા ખાતે માછીમારીના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. 
 
માછીમારી માટે લાયસન્સ મેળવવા માટે પણ તેમને અનેક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. જાણી જોઈને આ માછીમારોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સરકારી તંત્ર તેમને બોટ પાર્કિંગ સહિતની સુવિધાઓ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. આમ રાજ્ય સરકાર દ્વારા કરાતા ભેદભાવના મુદ્દે  100  જેટલા માછીમારોના પરિવારોએ ઈચ્છા મૃત્યુની માગણી કરી છે.
 
માછીમારોએ આ અંગે રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પોરબંદર કલેક્ટર સહિત અન્ય અધિકારીઓને આવેદનપત્ર પણ આપ્યું છે. રાજ્ય સરકારને અનેક વિનંતીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. વેકેશન બેન્ચ આ અરજી પર સુનાવણી કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઝાંઝરી ધોધમાં ન્હાવા પડેલા અમદાવાદ 3 યુવકોએ જીવ ગુમાવ્યો, આખી રાત કરાઇ શોધખોળ