Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફોર્ડ મોટર્સના છટણી કરાયેલા 350 કર્મચારીઓએ અમદાવાદમાં કર્યો વિરોધ

ફોર્ડ મોટર્સના છટણી કરાયેલા 350 કર્મચારીઓએ અમદાવાદમાં કર્યો વિરોધ
, શુક્રવાર, 14 એપ્રિલ 2023 (11:18 IST)
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સાણંદના ફોર્ડ મોટર્સ દ્વારા છટણી કરાયેલા લગભગ 350 કામદારોએ ગુરુવારે અમદાવાદમાં ખાનપુરમાં આવેલા ડેપ્યુટી લેબર કમિશનરના કાર્યાલય સામે વિરોધપ્રદર્શન કર્યું હતું.
 
સાણંદ ખાતે ફોર્ડ મોટર્સના કામદારોના યુનિયન કર્ણાવતી કામદાર એકતા સંઘના પ્રમુખ વિજય બાપોદરાએ કહ્યું હતું કે, "અમે માત્ર વિરોધ નથી કર્યો, પરંતુ ગુજરાત સરકારને એક મેમોરેન્ડમ પણ આપ્યું હતું કે ફોર્ડ મોટર્સમાંથી 355 કામદારોની કયા આધારે છટણી કરવામાં આવી છે."
 
બાપોદરાએ વધુમાં કહ્યું હતું કે, "આ કામદારોને 11 જાન્યુઆરીએ ટર્મિનેશન લેટર આપવામાં આવ્યા હતા અને અમને મીડિયાનો સંપર્ક ન કરવા કહેવામાં આવ્યું હતું. કંપનીમાંથી આટલા બધા લોકોને કાઢી મૂકતા પહેલાં કંપનીએ રાજ્ય સરકારની પરવાનગી લેવી પડતી હતી. તેથી અમે જાણવા માગીએ છીએ કે, શું રાજ્ય સરકારે તેના માટે પરવાનગી આપી હતી અને તેમણે યુનિયનની જાણ બહાર આવું કેમ કર્યું."
 
અહેવાલ અનુસાર, 10 જાન્યુઆરી 2023ના રોજ ટાટા મોટર્સે ઔપચારિક રીતે સાણંદમાં ફોર્ડ મોટર્સની સંપત્તિ હસ્તગત કરી હતી અને લગભગ 37 ટકા કર્મચારીઓ ટાટા મોટર્સના કાર્યબળમાં જોડાયા હતા.
 
ગુરુવારે કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ખાનપુરમાં લેબર કમિશનર કાર્યાલયની મૂલાકાત લીધી હતી અને વિરોધ કરી રહેલા કામદારોને સમર્થન આપ્યું હતું.
 
મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, "ગુજરાતમાં જે પોતાને એક મૉડલ તરીકે ગર્વ કરે છે, ત્યારે ફોર્ડ મોટર્સના 350થી વધુ કામદારો અહીં વિરોધપ્રદર્શનમાં બેઠા છે અને માગ કરી રહ્યા છે કે તેમને કંપનીમાંથી કાઢી મૂકવામાં ન આવે."
 
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, "અહીં બનેલી હજારો કાર પાછળ આ કામદારોનો હાથ છે અને આજે પણ તેઓ કામ કરવા તૈયાર છે, પરંતુ શ્રમ ધોરણો અને કરારોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે, તેથી હું શ્રમમંત્રી પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરું છું અને એક સ્થાયી ઉકેલ લાવવા માગું છું."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ તમે જોઈ 4 કરોડની સુપરકાર, ભારતમાં આ ઓટો કંપનીએ કરી લોંચ, જાણો બેસ્ટ ફીચર્સ અને વિશેષતા