Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

51 shakti peeth - કરતોયાતટ અપર્ણ બાંગ્લાદેશ -13

51 shakti peeth - કરતોયાતટ અપર્ણ બાંગ્લાદેશ -13
, ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (17:21 IST)
Shri Aparna Shaktipeeth  Bhawanipur- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન 
શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને 
વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ.
 
કરતોયાતટ અપર્ણા- બાંગ્ળાદેશના શેરપુર બાગુરા સ્ટેશનથી 28 કિમી દૂર ભવાનીપુર ગામના પાર કરતોયાની સદાનીરા નદીની પાસે સ્થાન પર માતાની ડાબું તલ્પ (ઝાંઝર) પડી હતી. તેની શક્તિ છે અર્પણ અને ભૈરવને વામન કહે છે. અહીં પહેલા ભૈરવરૂપ શિવના દર્શન કરી ત્યારે દેવીના દર્શન કરવા જોઈએ. આ જગ્યા તે બોંગરા જિલ્લાના ભવાનીપુર નામના ગામમાં આવેલું છે.
 
કરતોયા નદીને સદાનીરા કહેવાય છે. વાયુપુરાણ મુજબ આ નદી ઋક્ષ પર્વત થી નિકળી છે અને તેનો જળ મણિસદ્રશ ઉજ્જવળ છે. તેને બ્રહ્મારૂપા કરોદભવા પણ કહેવાય છે. એવું કહેવાય છે કે શિવ અને પાર્વતીના લગ્ન સમયે ભગવાન શિવના હાથ પર રેડવામાં આવેલા પાણીમાંથી ઉદ્ભવ્યું છે, તેથી જ તેનું શિવ નિર્માલ્યનું મહત્વ છે, તેને છોડવું જોઈએ નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sarva Pitru Amavasya 2023: પિતૃ પક્ષની સર્વપિતૃ અમાવસ્યા પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રીતે કરશો પિતરોની વિદાય તો થશે ધન વર્ષા