Publish Date: Thu, 18 Sep 2025 (23:28 IST)
Updated Date: Thu, 18 Sep 2025 (23:31 IST)
દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે. તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા. જ્યારે ભગવાન શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું. બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ.
હિંગળાજ શક્તિપીઠઃ માતા સતીની 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ પાકિસ્તાનના કબજા હેઠળના બલૂચિસ્તાનમાં સ્થિત છે. હિંગુલા અથવા હિંગલાજ શક્તિપીઠ જે કરાચીથી 125 કિમી ઉત્તર પૂર્વમાં આવેલું છે, જ્યાં માતાનું બ્રહ્મરંધ (માથું) પડ્યું હતું. તેની શક્તિ કોત્રી (ભૈરવી-કોટ્ટવિષા) છે અને ભૈરવને ભીમલોચન કહેવામાં આવે છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાન રાજ્યમાં હિંગોલ નદી પાસે હિંગળાજ વિસ્તારમાં આવેલું હિંગળાજ માતાનું મંદિર, હિન્દુ ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર અને મુખ્ય 51 શક્તિપીઠોમાંનું એક છે. હિંગોલ નદી અને ચંદ્રકૂપ પર્વત પર સ્થિત છે. મનોહર પહાડોની તળેટીમાં આવેલું આ મંદિર એટલું પ્રખ્યાત છે કે અહીં આખું વર્ષ મેળા જેવું વાતાવરણ રહે છે.
webdunia
Publish Date: Thu, 18 Sep 2025 (23:28 IST)
Updated Date: Thu, 18 Sep 2025 (23:31 IST)