Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનુ નિધન, 67ની વયમાં દિલ્હીના હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનુ નિધન, 67ની વયમાં દિલ્હીના હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
, શનિવાર, 4 ડિસેમ્બર 2021 (18:41 IST)
વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનુ નિધન થઈ ગયુ છે. 67ની વયમાં તેમણે દિલ્હીના અપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પારિવારિક સૂત્રોએ જણાવ્યુ કે બપોરે લગભગ ચાર વાગે તેમનુ નિધન થયુ. દૂરદર્શન અને એનડીટીવી જેવા સમાચાર ચેનલોના માટે સેવા આપી ચુકેલા હિન્દી પત્રકારિકાનો જાણીતો ચેહરા રહ્યા છે. 

 
દુઆને લિવરમાં ઈન્ફેક્શનના કારણે થોડા દિવસો પહેલા પરમાનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેઓ છેલ્લા 5 દિવસથી એપોલો હોસ્પિટલના ICUમાં દાખલ હતા. દુઆ પોતાની પાછળ બે દીકરીઓ છોડી ગયા છે. દુઆની પત્નીનું આ વર્ષે જૂનમાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયું હતું. દુઆએ કોરોના સામે પણ લડાઈ લડી હતી અને ત્યારથી તેનું શરીર વધુને વધુ નબળું પડતું ગયું છે. દુઆના અંતિમ સંસ્કાર રવિવારે બપોરે 12 વાગ્યે લોધી સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.
 
મલ્લિકા દુઆએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “અમારા નીડર, નીર્ભિક અને અસાધારણ પિતા વિનોદ દુઆનું નિધન થઈ ગયું છે. દિલ્હીની શરણાર્થી વસાહતોથી શરૂ કરીને 42 વર્ષ સુધી પત્રકારત્વની શ્રેષ્ઠતાના શિખર પર પહોંચતા, હંમેશા સત્યની પડખે ઊભા રહીને તેમણે એક અનોખું જીવન જીવ્યું. "તેમણે લખ્યું, "તેઓ હવે અમારી માતા છે, તેમની પ્રિય પત્ની ચિન્ના સાથે. સ્વર્ગમાં , જ્યાં તેઓ ગીતો ગાવાનું, રસોઇ કરવાનું, મુસાફરી કરવાનું અને એકબીજા સાથે લડવાનું ચાલુ રાખશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી