Publish Date: Tue, 16 May 2023 (11:24 IST)
Updated Date: Tue, 16 May 2023 (12:38 IST)
ઉત્તરાખંડમાં એકવાર ફરીથી એક ભેખડ ઢસડી પડી. જ્યારબાદ પત્થરોનો વરસાદ થવા માંડ્યો. આ દુર્ઘટના પિથૌરાગઢના ભારત-ચીન સીમા પાસે થઈ. આ તવાઘાટ-લિપુલેખ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગરબાધારમાં ભયંકર ભૂસ્ખલન થઈ ગયુ. ભૂસ્ખલન થવાથી ભેખડ નીચે સરકી ગઈ અને પત્થરોનો વરસાદ થવા માંડ્યો. જેનાથી ધૂળના ગોટેગોટા ઉડવા લાગ્યા અને ચારે બાજુ અંધારુ છવાઈ ગયુ. બીજી બાજુ ભેખડ ઢસડી પડવાથી શ્રમિકો અને ત્યા હાજર કર્મચારીઓ વચ્ચે અફરાતફરી મચી ગઈ. બધા લોકો સુરક્ષિત સ્થાન તરફ ભાગ્યા. જો કે આ ઘટનામાં કોઈને જાનહાનિ થવાના સમાચાર નથી.
ઘટના સ્થળ પર હાજર લોકોએ આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો બનાવી લીધો. વીડિયોમાં ઘટનાસ્થળની પાસે પૉકલેંડ મશીન પણ જોવા મળી. ઘારચૂલાના એસડીએમના મુજબ આદિ કૈલાશ યાત્રાને ધ્યાનમાં રાખકા રસ્તાનુ કામ ચાલી રહ્યુ છે. આવામાં યાત્રાળુઓની અવરજવરને સુવિદ્યાજનક બનાવવા માટે માર્ગને 18 મે સુધી ખોલી દેવામાં આવશે.