Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP Election 2022 : ભાજપમાં નાસભાગ વધીઃ આજે મંત્રી ધરમપાલ સૈની સહિત 6 ધારાસભ્યોએ પાર્ટી છોડી, 12 ધારાસભ્યો અત્યાર સુધીમાં તૂટ્યા

UP Election 2022 : ભાજપમાં નાસભાગ વધીઃ આજે મંત્રી ધરમપાલ સૈની સહિત 6 ધારાસભ્યોએ પાર્ટી છોડી, 12 ધારાસભ્યો અત્યાર સુધીમાં તૂટ્યા
, ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (15:27 IST)
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગતાની સાથે જ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)માં નાસભાગ મચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 11 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. આમાં સ્વામી પ્રસાદ મૌર્ય જેવા પ્રધાનોનો સમાવેશ થાય છે, જેમણે ગઈકાલે ભગવા પક્ષ પર OBC અને દલિતોની અવગણના કરવાનો આરોપ લગાવીને રાજીનામું આપ્યું હતું. તમને જણાવી દઈએ કે આ ટ્રેન્ડ આજે પણ ચાલુ છે. ગુરુવારે ભાજપના 6 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
 
આજે રાજીનામું આપનારા ધારાસભ્યોના નામોમાં વિનય શાક્ય, મુકેશ વર્મા અને સીતારામ વર્માનો સમાવેશ થાય છે. તે જ સમયે, યોગી સરકારમાં મંત્રી રહી ચૂકેલા ધરમપાલ સિંહ સૈનીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બાલા પ્રસાદ અવસ્થી અને રામફેરન પાંડેએ પણ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. આ તમામ સહિત 6 ધારાસભ્યોએ ગુરુવારે જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
 
તમને જણાવી દઈએ કે યોગી સરકારના મંત્રી ધરમપાલ સિંહ સૈનીએ સરકારી આવાસ અને સુરક્ષા પરત કરી દીધી છે. માનવામાં આવે છે કે અખિલેશ યાદવને મળ્યા બાદ ગમે ત્યારે તેઓ સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. તે જ સમયે, આજે સવારે શિકોહાબાદના ધારાસભ્ય મુકેશ વર્માએ પણ ભગવા પાર્ટી છોડી દીધી છે. તેઓ સપામાં જોડાય તેવી પણ શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-