Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાની સ્થિતિ અને તૈયારીને લઈને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની રાજ્યના મંત્રીઓ સાથે મિટિંગ

mansukh
, શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (10:00 IST)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે બપોરે ત્રણ વાગ્યે રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે કોવિડની સ્થિતિ અને તૈયારીઓને લઈને બેઠક કરશે.
 
ચીનમાં ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ બાદ સમગ્ર વિશ્વ ફરી એકવાર એલર્ટ પર છે. ચીનમાં BF.7 નામના કોવિડ સબ-વૅરિયન્ટ કહેર જોવા મળી રહ્યો છે. ચીન દ્વારા ભલે સંક્રમણની અસર ઓછી બતાવવામાં આવી રહી છે, પરંતુ ત્યાંથી જે તસવીરો આવી રહી છે તે ભયાનક છે.
 
ગઈ કાલે ભારતમાં BF.7 સબ-વૅરિયન્ટના કેટલાક કેસ મળી આવ્યા છે, જે બાદ ભારત સરકારની સક્રિયતા વધી છે. ફરી એક વાર જૂની કોવિડ ગાઇડલાઇન ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
 
આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે માહિતી આપી હતી કે આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર રેન્ડમ RT-PCR સૅમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
 
તેમણે કહ્યું, "અમે અન્ય દેશોમાંથી આવતા લોકોના RT-PCR સૅમ્પલિંગ શરૂ કર્યા છે. અમે રોગચાળાનો સામનો કરવા માટે જરૂરી પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ."
 
પીએમઓ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પીએમએ કડક તકેદારી રાખવાની સલાહ આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, કોવિડ હજુ સમાપ્ત થયો નથી અને અધિકારીઓને ખાસ કરીને ઍરપૉર્ટ પર દેખરેખ વધારવા કહ્યું છે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2023 Auction: આ ભારતીય બોલર છે સૌથી સિનીયર, આ 15 વર્ષનો અફઘાનિસ્તાનનો ખેલાડી છે સૌથી યુવા