Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરકાર સાથે વાતચીત માટે સંયુક્ત કિસાન મોરચાએ સમિતિ બનાવી

સરકાર સાથે વાતચીત માટે સંયુક્ત કિસાન મોરચાએ સમિતિ બનાવી
, રવિવાર, 5 ડિસેમ્બર 2021 (14:11 IST)
સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ શનિવારે સિંઘુ બૉર્ડર પરની બેઠક બાદ એક સમિતિ બનાવવાનું એલાન કર્યું છે.
 
ખેડૂતનેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા તરફથી એક સમિતિ બનાવાઈ છે.
 
તેમણે કહ્યું કે આ સમિતિમાં સંયુક્ત કિસાન મોરચાના પાંચ લોકો હશે.
 
ટિકૈતે કહ્યું કે "આ સમિતિમાં બલબિરસિંહ રાજેવાલ, શિવકુમાર કાકા, અશોક ભાવલે, યુદ્ધવીરસિંહ અને ગુરુનામસિંહ ચઢુની સામેલ થશે."
રાકેશ ટિકૈતે એ પણ કહ્યું કે આ સમિતિને તમામ અધિકાર આપવામાં આવ્યા છે અને આ સમિતિ જ સરકાર પાસે જનારા લોકોનાં નામ નક્કી કરશે.
 
તેમણે કહ્યું કે એસકેએમની આગામી બેઠક સાત માર્ચે થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મુલાકાત મહત્ત્વની કેમ?