Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મુલાકાત મહત્ત્વની કેમ?

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મુલાકાત મહત્ત્વની કેમ?
, રવિવાર, 5 ડિસેમ્બર 2021 (14:06 IST)
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મુલાકાત મહત્ત્વની કેમ?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન છ ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત થોડા કલાકોની જ છે, પણ તેને મહત્ત્વની માનવામાં આવે છે.
 
અંગ્રેજી અખબાર ધ હિન્દુ પોતાના રિપોર્ટમાં લખે છે કે ભારત અને રશિયા ભારત-પ્રશાંત ક્ષેત્ર અને અનેક મુદ્દાઓ પર અલગઅલગ મત ધરાવે છે. આ બેઠકમાં તેના પર પણ નજર રહેશે.
 
રાષ્ટ્રપતિ પુતિન સોમવારે સાંજે નવી દિલ્હી પહોંચી રહ્યા છે અને વાર્ષિક સંમેલનમાં ભાગ લીધા બાદ તેઓ પરત ફરશે.
 
આ સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો કેન્દ્રસ્થાને રહેશે, જેમાં એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી અને અનેક રક્ષા સોદા પર ચર્ચા થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Omicron- ઓમિક્રોન માટે કેવી રીતે થાય છે ટેસ્ટ, શું છે લક્ષણો, આરટીપીસીઆર ટેસ્ટમાં ઓમિક્રૉન વૅરિયન્ટ પકડાઈ જાય છે?