Publish Date: Fri, 21 Nov 2025 (16:43 IST)
Updated Date: Fri, 21 Nov 2025 (17:17 IST)
દુબઈ એયર શો માં ક્રેશ થયુ તેજસ લડાકૂ વિમાન ના પાયલોટના મોતના સમાચાર આવી રહ્યા છે. આ સમાચારની વાયુસેનાએ પોતે ચોખવટ કરી છે. વાયુસેનાએ પણ આ અકસ્માત અંગે એક નિવેદન જારી કર્યું છે. નોંધનીય છે કે આ અકસ્માત શુક્રવારે બપોરે દુબઈમાં થયો હતો. તેજસ ફાઇટર જેટ ક્રેશનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ટેકઓફ કર્યા પછી તરત જ ફાઇટર જેટ જમીન પર કેવી રીતે ક્રેશ થયું.
એયર શો દરમિયાન વિમાનના પડ્યા બાદ દુર્ઘટનાસ્થળ પર આગના ગોટા જોવા મળ્યા. આ દુર્ઘટના પાછળનુ કારણ શુ છે તેની અત્યાર સુધી કોઈ માહિતી નથી. વાયુસેનાએ પણ પોતાના નિવેદનમાં કહ્યુ કે અમે હજુ ક્રેશના કારણોની જાણ કરી રહ્યા છે. જેવી જ અમને આના વિશે કંઈ જાણ થશે તો અમે તેને લઈને અપડેટ કરીશુ.
આ દુર્ઘટનાનુ શુ કારણ છે હાલ તેની જાણ થઈ નથી પણ એક્સપર્ટ તેને એક તકનીકી દુર્ઘટના માની રહ્યા છે. એક્સપર્ટે કહ્યુ કે દુનિયાભરમાં જ્યારે એયર શો થાય છે તો લડાકૂ વિમાન ખૂબ નીચે ઉડાન ભરે છે અને આવી સ્થિતિમાં આ પ્રકારની દુર્ઘટના થવાની આશંકા કાયમ રહે છે.
આ વિમાન દુર્ઘટના અંગે નિષ્ણાતો પણ પોતાના મંતવ્યો આપી રહ્યા છે. ભૂતપૂર્વ એર માર્શલ જિમી ભાટિયાએ NDTV સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એર શો દરમિયાન આવી ઘટનાઓ બની શકે છે. તેમણે સમજાવ્યું કે એર શો દરમિયાન ફાઇટર જેટ ખૂબ ઓછી ઊંચાઈએ ઉડે છે, જેના કારણે આવા અકસ્માતો થવાની શક્યતા વધી જાય છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે વિમાન પાસે ચાલાકી કરવાનો સમય નહોતો અને તે જમીન પર ક્રેશ થયું. તેમણે ઉમેર્યું કે તેજસ ફાઇટર જેટ ખૂબ જ સલામત છે.