Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UPથી ગુજરાત સુધી મદરસાઓનો સંપર્ક કરી રહ્યા હતા શંકાસ્પદ આતંકવાદીઓ, કોણ હતું મદદગાર? ATSને મળી મહત્વની માહિતી

UPથી ગુજરાત સુધી મદરસાઓનો સંપર્ક કરી રહ્યા હતા શંકાસ્પદ આતંકવાદીઓ,  કોણ હતું મદદગાર? ATSને  મળી  મહત્વની માહિતી
, રવિવાર, 21 ઑગસ્ટ 2022 (08:20 IST)
સહારનપુર, ફતેહપુર અને આઝમગઢમાંથી ધરપકડ કરાયેલા ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓને પાકિસ્તાની હેન્ડલર્સ તરફથી કોઈ આર્થિક મદદ અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. કુખ્યાત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આ શકમંદોની ચાલી રહેલી પૂછપરછમાં એટીએસને અત્યાર સુધી ઘણી મહત્વની માહિતી મળી છે, જેની ચકાસણી કરવામાં આવી રહી છે.
 
મોહમ્મદ નદીમ અને તેના સહયોગી હબીબુલ ઈસ્લામ ઉર્ફે સૈફુલ્લાના પાકિસ્તાની હેન્ડલર્સ સાથે ગાઢ સંબંધો હોવાની શક્યતા છે. એ જ રીતે સબાઉદ્દીન આઝમી પણ જેહાદી વિચારો ફેલાવવામાં વ્યસ્ત હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈફુલ્લાહની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તે યુવકોની એક ટીમ બનાવવામાં વ્યસ્ત હતો જે કોઈપણ સમયે ફિદાયીન હુમલા માટે તૈયાર હતા. આ માટે તે યુપીથી લઈને ગુજરાત સુધીના મદરસાઓના સંપર્કમાં હતો. નદીમ પણ આમાં તેની મદદ કરતો હતો.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર સૈફુલ્લાહ અને નદીમ સાથે મળીને ઈસ્લામનું અપમાન કરનારાઓને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. બંનેએ આવા લોકોની યાદી પણ બનાવી હતી. આમાં ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માનું નામ પણ સામેલ હતું. પૂછપરછ દરમિયાન મળેલી માહિતી મુજબ બંનેનું પાંચ રાજ્યોમાં નેટવર્ક હોવાની શક્યતા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા છિનવાયા