Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા SCની ગુજરાત સરકારને ફટકાર, દર્દીઓ બળીને મરી ગયા આ દુર્ભાગ્યપૂર્ણ

કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા SCની ગુજરાત સરકારને ફટકાર, દર્દીઓ બળીને મરી ગયા આ દુર્ભાગ્યપૂર્ણ
નવી દિલ્હી. , શુક્રવાર, 27 નવેમ્બર 2020 (14:26 IST)
દેશભરમાં કોરોનાની સ્થિતિ અંગે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટીસ એમ.આર.શાહે રાજકોટમાં બનેલી ઘટના અંગે ગુજરાત સરકારને ઠપકો આપ્યો હતો. તેની સુપ્રીમ કોર્ટે પણ નોંધી લીધી અને રાજકોટ અગ્નિનકાંડ માટે ગુજરાત સરકાર (Gujarat Government) પાસેથી રિપોર્ટ માંગ્યો. 1 ડિસેમ્બરે અગ્નિકાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થશે.  જસ્ટિસ શાહે કહ્યું, આની જવાબદારી કોણ લેશે? સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતાએ કહ્યું કે આ ગંભીર બાબત છે અને તેને નકારી શકાય નહીં.સત્તા અને ગુજરાત સરકારે આ મામલે સોગંદનામું દાખલ કરવું જોઈએ. જે ઉપકરણો માટે ફીટ કરવામાં આવ્યા હતા તે શો પીસ જેવું હતું . તેમણે કહ્યું, "આ આઘાતજનક છે! અને આ પહેલી ઘટના નથી. હોસ્પિટલોમાં આગને રોકવા માટે કેટલાક પગલા લેવાની જરૂર છે. જસ્ટિસ શાહે કહ્યું કે હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરવા ગયેલા દર્દીઓ આગથી દઝાઈને મરી ગયા એ  દુર્ભાગ્યપૂર્ણ છે 
 
આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો શું કરી રહી છે? કેમ સચોટ વ્યવસ્થા કરવામાં આવતી નથી. એક તરફ કોવિડ -19 નો ફાટી નીકળ્યો છે અને બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓ બળીને મરી રહ્યા છે. આ સમયે એસજીએ જણાવ્યું હતું કે કુલ રાજ્યના કુલ કેસોમાં 10 રાજ્યમાં કોરોના કેસના 77% ભાગ છે. મહારાષ્ટ્ર, દિલ્હી સહિત અન્ય છે. આ અંગે જસ્ટિસ શાહે કહ્યું કે આ સ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ છે. ગુજરાત, રાજકોટની એક હોસ્પિટલમાં આગના કારણે છ લોકોના મોતના મામલે તેઓ નોંધ લઈ રહ્યાછે.  કેન્દ્ર અને ગુજરાતે જવાબ દાખલ કરે અને ગુજરાત સરકાર મંગળવાર સુધીમાં દુર્ઘટના અંગે રિપોર્ટ આપે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aus vs IND 1st ODI Score- ફિન્ચ-સ્મિથની સદી, ભારત સામે 375 રનનો વિશાળ લક્ષ્ય