Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હી હિંસામાં SIT 15 લોકોને શોધી રહી છે, જાણો શુ જે તેમનુ તાહિર કનેક્શન

દિલ્હી હિંસામાં SIT 15 લોકોને શોધી રહી છે, જાણો શુ જે તેમનુ તાહિર કનેક્શન
, શનિવાર, 7 માર્ચ 2020 (10:24 IST)
ઉત્તરપૂર્વી દિલ્હીમાં ભડકેલી હિસા મામલે ધરપકડ પામેલા દિલ્હીના નિગમ પાર્ષદ તાહિર હુસૈન પર એસઆઈટીનો શિકંજો કસતો જઈ રહ્યો છે. સાત દિવસની પોલીસ રિમાંડ ચાલી રહેલ તાહિર હુસૈનની ઘટનાવાળા દિવસની દિનચર્યા જોતા શુક્રવારે મામલાની તપાસ કરી રહેલ એસઆઈટીને ઘણી બધી માહિતી મળી છે. 
 
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચના એક સ્ત્રોત અનુસાર, 'એસઆઈટીએ શુક્રવારે ઘટનાના દિવસે તાહિર હુસેન સાથે સૌથી વધુ અને સતત બોલાતા 15 લોકોની ઓળખ કરી હતી. આ વાતચીત મોબાઇલ દ્વારા થઈ હતી. શા માટે અને શા માટે તાહિર આ જ દિવસોમાં આટલી લાંબી વાતો કરે છે? તેનો ખુલાસો કરી શકાયું નહીં.
 
એસઆઈટી સૂત્રોના મુજબ ચિન્હિત કરવામાં આવેલ લોકોમાં તાહિર હુસૈનના અનેક સંબંધીઓનો પણ સમાવેશ છે. જેમના વિશે તાહિર બસ એટલુ કહ્યુ છે કે ઘટનાવાળા દિવસે એ લોકોને હિંસાગ્રસ્ત વિસ્તારમાં જવાને કહી રહ્યા હતા. જો કે દિલ્હી પોલીસ અપરાધ શાખાના ગળા  તેની આ દલીલ બિલકુલ ગળે ઉતરી રહી નથી. 
 
આશા છે કે શનિવારના દિવસે ચહિત કરવામાં આવેલ શંકાસ્પદોને પોલીસ કાયદેસરની નોટિસ આપીને નિવેદન નોંધાવવા માટે પકડી શકે. એસઆઈટીને આશા છેકે ભલે બે દિવસમાં તાહિરને કંઈક વિશેષ હાસિલ ન થઈ શક્યુ હોય પણ આવનારા એક બે દિવસમાં તેની પાસેથી ઘણી બધી માહિતી મળવાની આશા છે. તાહિર વિરુદ્ધ મુખ્ય મામલો અંકિત શર્મા હત્યાકાંડનો છે. 
 
એસઆઈટીની તપાસમાં જાણ થઈ છે કે તાહિર હ્નુસૈન વીતી 24 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાંદ બાગ, મુસ્તફાબાદ અને આસપાસના વિસ્તારમાં જ હાજર હતો. 27 ફેબ્રુઆરી પછી તેની લોકેશન જાકિર નગરમાં મળી. અહી તે બે દિવસ સુધી રોકાયો. આ દરમિયાન પોલીસનુ દબાણ વધતા તેને પોતાનો મોબાઈલ નંબર પણ બંધ કરાવી દીધો હતો. ત્યારબાદ વૈકલ્પિક મોબાઈલ નંબરનો જ  ઉપયોગ કર્યો. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 
 
ક્રાઈમ બ્રાંચના સ્પેશલ કમિશ્નર પ્રવીર રંજનના મુજબ આરોપીનો મોબાઈલ હજુ સુધી પોલીસને મળ્યો નથી. જેની શોધ કરવામાં આવી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

WT20 FINAL INDv AUS: શુ મહિલા દિવસ પર હરમનપ્રીત કૌર પોતાની માતાને વિશ્વ કપની ભેટ આપશે ?