Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે નિકળશે અયોધ્યા વિવાદનો ઉકેલ- સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનવણી

હવે નિકળશે અયોધ્યા વિવાદનો ઉકેલ- સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનવણી
, મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (11:22 IST)
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ બાબતમાં સુપ્રીમ કોર્ટમાં સુનવણી શરૂ થઈ ગઈ છે. મધ્યસ્થતાથી વિવાદનો કોઈ ઉકેલ કાઢવાનો પ્રયાસ અસફળ થયા પછી હવે સુપ્રીમ કોર્ટએ કેસની દરરોજ સુનવણી કરવાનો ફેસલો કર્યું છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યસ્થા વાળા 5 સદસ્યીય સંઐધાનિક પીઠ આ બાબતે સુનવણી કરી રહ્યા છે. આ સંવૈધાનિક પીઠમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસએ નજીર પણ શામેલ છે. 
 
1 ઓગસ્ટને મધ્યસ્થતાએ સુપ્રીમ કોર્ટમાં સીલબંદ લિફાફામાં ફાઈનલ રિપોર્ટ રજૂ કરી હતી અને પછી સુપ્રીમ કોર્ટએ રિપોર્ટના હવાલાથી જણાવ્યુ મધ્યસ્થતા સમિથીથી કેસનો કોઈ ઉકેલ નહી કાઢી શકાય છે. 
 
સુપ્રી કોર્ટએ પહેલા જ કહ્યું હતું કે જો આપસી સહમતિથી કોઈ ઉકેલ નહી નિકળે છે તો કેસની દરરોજ સુનવણી થશે. આ ફેસલો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી સંવૈધાનિક પીઠએ કર્યું. 
 
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટએ કેસની સુનવણી કરતા કહ્યુ હતું કે આ કેસની મધ્યસ્થતાની કોશિશ સફળ નથી થઈ છે. સમિતિના અંદર અને બહાર પક્ષકારોએ રૂખમાં કોઈ ફેરફાર નહી જોવાયું.
 
અઠવાડિયામાં 3 દિવસ થશે સુનવણી- સુપ્રીમ કોર્ટએ અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ કેસમાં ગઠિત મધ્યસ્થતા કમેટી ભંગ કરતા કહ્યું છે કે 6 ઓગસ્ટથી હવે કેદની દરરોજ સુનવણી થશે . આ સુનવણી અઠવાડિયામાં 3 દિવસ મંગળવાર, બુધવાર અને ગુરૂવારે  થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ભારે વરસાદથી 21 હજારનું સ્થળાંતર, આજે ક્યાં પડશે ભારે વરસાદ?