Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંજાબી સિંગરની સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા

પંજાબી સિંગરની સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા
, રવિવાર, 29 મે 2022 (18:56 IST)
કોંગ્રેસના નેતા અને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની આજે માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફાયરિંગમાં અન્ય ત્રણ ઘાયલ થયા હતા. ફાયરિંગમાં ઘાયલ ત્રણ લોકોને માનસા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંજાબ સરકારે મૂઝવાલા સહિત 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી.
 
પંજાબની ભગવંત માન સરકારે ગઈકાલે એટલે કે શનિવારે જ 424 વીઆઈપીની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. જેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે તેમાં ઘણા નિવૃત્ત અધિકારીઓ અને પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ પહેલા એપ્રિલમાં પણ પંજાબ સરકારે પૂર્વ મંત્રીઓ અને નેતાઓ સહિત 184 લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવાનો આદેશ આપ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL-15 ક્લોઝિંગ સેરેમની સાંજે 6.30થી મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ શરૂ થશે