Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટના આટકોટ ખાતે આ 200 બૅડની આ હૉસ્પિટલ- શનિવારે રાજકોટમાં હૉસ્પિટલનું ઉદ્ઘાટન

રાજકોટના આટકોટ ખાતે આ 200 બૅડની આ હૉસ્પિટલ- શનિવારે રાજકોટમાં હૉસ્પિટલનું ઉદ્ઘાટન
, રવિવાર, 29 મે 2022 (12:18 IST)
રાજકોટના આટકોટ ખાતે આ 200 બૅડની આ હૉસ્પિટલ રાજકોટ-ભાવનગર હાઈવે પર 40 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.
 
આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અલગ-અલગ જગ્યાએથી પાટીદાર સમુદાયના લોકોએ ભાગ લીધો હતો.
 
એક તરફ ભાજપના નેતાઓનું કહેવું છે કે આ લોકકલ્યાણનો કાર્યક્રમ છે, ત્યારે બીજી બાજુ ઘણા લોકો માને છે કે આ કાર્યક્રમ થકી નરેન્દ્ર મોદી અને ભાજપ પાટીદાર સમુદાયના લોકોને આવનારી ચૂંટણી માટે રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
 
હૉસ્પિટલના લોકાર્પણ બાદ વડા પ્રધાને કહ્યું, "કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર રાષ્ટ્રસેવાના આઠ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. આઠ વર્ષ પહેલાં તમે મને વિદાય આપી હતી અને છતાં તમારો પ્રેમ વધતો જ રહ્યો છે."
 
"2001માં ગુજરાતમાં માત્ર નવ સરકારી મેડિકલ કૉલેજ હતી, આજે 30 છે. દરેક જિલ્લામાં એક મેડિકલ કૉલેજ બનાવવાની ઇચ્છા છે."
 
"2001માં આપણા ગુજરાતમાં માત્ર નવ મેડિકલ કૉલેજ હતી, આ બધુ યાદ રાખો છો કે ભૂલી જાવ છો, નવી પેઢીને કહેજો, તેમને ખબર નથી કે શું હતું."
 
"જામનગરમાં આયુર્વેદ, રાજકોટમાં એઇમ્સ અને આટકોટમાં આ મેડિકલ કૉલેજ, વટ પડી ગયો"
 
તેમણે કૉંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, "પહેલાં દિલ્હીમાં એવી સરકાર હતી, જે ગુજરાતના પ્રોજેક્ટને રદ કરી દેતી હતી, આપણી મા આ નર્મદાને રોકીને બેઠા હતા. સરદાર સરોવર બંધ બાંધવા ઉપવાસ પર ઊતરવું પડ્યું હતું, ઉપવાસ રંગ લાવ્યા. નર્મદામાતા કચ્છ અને કાઠિયાવાડની ધરતી પર આવી અને આપણું જીવન ઉગાર્યું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમિત શાહ પંચમહાલમાં, અમદાવાદમાં 600 કરોડના સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે