Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM Modi: પીએમ મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે; એનબીડબલ્યુએલ ની બેઠક યોજશે, વંતારાની પણ મુલાકાત લેશે

PM Narendra Modi On Three-Day Visit To Gujarat
, શનિવાર, 1 માર્ચ 2025 (07:55 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. તેઓ જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના પશુ બચાવ કેન્દ્ર વંતારાની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ કરશે.
 
ગુજરાતના મુખ્ય વણ સંરક્ષકે આપી માહિતી 
પીએમ મોદીના કાર્યક્રમના ભાગ રૂપે, તેઓ રવિવારે જામનગરમાં વંતારા પશુ સંભાળ કેન્દ્રની મુલાકાત લેશે. બીજા દિવસે તેઓ  જંગલ સફારીનો આનંદ માણશે. આ સંદર્ભમાં, ગુજરાતના મુખ્ય વન સંરક્ષક અને વન દળના વડા એ.પી. સિંહે જણાવ્યું હતું કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનના મુખ્ય મથક સાસણ ખાતેના પોતાના પ્રવાસ દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનું સંચાલન કરનારા શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ કરશે. 
 
શું છે પીએમ મોદીનો કાર્યક્રમ  
તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી 1 માર્ચની સાંજે જામનગર પહોંચશે અને ત્યાં સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે તેઓ જામનગરમાં વંતારા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લેવાના છે. તે જામનગરથી નીકળીને સાંજે સાસણ પહોંચશે. સાસણ ખાતે વન વિભાગના કાર્યાલય-કમ-અતિથિ ગૃહ 'સિંહ સદન' પહોંચ્યા પછી, પ્રધાનમંત્રી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે.
 
પીએમ મોદી જંગલ સફારીનો આનંદ પણ માણશે
તેમણે કહ્યું કે 3 માર્ચે, પ્રધાનમંત્રી ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલ સફારીનો આનંદ માણીને પોતાના દિવસની શરૂઆત કરશે, જે એશિયાઈ સિંહોનું નિવાસસ્થાન છે. તેમણે કહ્યું કે સિંહ સદનમાં પાછા ફર્યા પછી, તેઓ NBWL ની બેઠકની અધ્યક્ષતા કરશે. આવી બેઠકોમાં વન્યજીવન સંબંધિત રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને તેમને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. આ બેઠક ખાસ છે કારણ કે તેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી કરશે.
 
સોમનાથ મંદિરમાં પણ પૂજા કરશે
તેમણે કહ્યું કે બેઠક પછી પ્રધાનમંત્રી સાસણા ખાતે કેટલીક મહિલા વન કર્મચારીઓ સાથે વાતચીત કરશે. બાદમાં, પ્રધાનમંત્રી ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સોમનાથથી તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચશે અને દિલ્હી જવા રવાના થશે.
 
 ઉલ્લેખનીય છે કે NBWL માં 47 સભ્યો છે, જેમાં આર્મી ચીફ, વિવિધ રાજ્યોના સભ્યો, આ ક્ષેત્રમાં કામ કરતી NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે. દેશના પ્રધાનમંત્રી NBWL ના હોદ્દેદાર અધ્યક્ષ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Champions Trophy 2025: સેમીફાઈનલમાં પહોચી ગઈ આ ૩ ટીમ, હવે એક સ્થાન માટે 2 ટીમો વચ્ચે ફસાયો પેંચ