Publish Date: Thu, 12 Sep 2024 (10:23 IST)
Updated Date: Thu, 12 Sep 2024 (10:57 IST)
દુર્ગા પૂજા પહેલા રાજ્યને વધુ ત્રણ વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ ટ્રેનો હાવડાથી ગયા, હાવડાથી ભાગલપુર અને હાવડાથી રાઉરકેલા હશે. મળતી માહિતી મુજબ આ ટ્રેનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે કરશે
દુર્ગા પૂજા પહેલા રાજ્યને વધુ ત્રણ વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ ટ્રેનો હાવડાથી ગયા, હાવડાથી ભાગલપુર અને હાવડાથી રાઉરકેલા હશે. મળતી માહિતી મુજબ આ ટ્રેનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે કરશે. વડા પ્રધાન દ્વારા વંદે ભારત ટ્રેનોના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ઉદ્ઘાટનના સ્થળને લઈને હજુ પણ મૂંઝવણ છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાન આ ટ્રેનોને પટના અથવા ટાટાનગર સ્ટેશનથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોકલી શકે છે.