Publish Date: Thu, 09 Oct 2025 (13:46 IST)
Updated Date: Thu, 09 Oct 2025 (13:54 IST)
ઉત્તર પ્રદેશમાં એક મોટી વિમાન દુર્ઘટના થતા થતા રહી ગઈ. જ્યારે ફરુખાબાદમાં એક ખાનગી વિમાન રનવે પરથી ઉતરીને ઝાડીઓમાં ફસાઈ ગયું હતું. સદનસીબે, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. વિમાન ટેકઓફ માટે રનવેની નજીક આવતા જ તેના પૈડા અચાનક વળી ગયા અને વિમાન ઝાડીઓમાં ઉતરી ગયું.
જાણો શુ છે આખો મામલો
ફરુખાબાદના મોહમ્મદાબાદ એરસ્ટ્રીપ પરથી ઉડાન ભરતી વખતે એક ખાનગી વિમાન રનવેથી આગળ નીકળી ગયું અને ઝાડીઓમાં ઘૂસી ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનના ટાયર ફૂલી ગયા હતા, જેના કારણે આ અકસ્માત થયો. સદનસીબે, બધા મુસાફરો સુરક્ષિત છે. એવું જાણવા મળ્યું છે કે ખાનગી વિમાનમાં સ્થાનિક ફેક્ટરીના કેટલાક અધિકારીઓ મુસાફરી કરી રહ્યા હતા.
ભોપાલ જવા માટે ઉડાન ભરી રહ્યુ હતુ
મોહમ્મદાબાદમાં સરકારી હવાઈ પટ્ટી પર 8 ઓક્ટોબર,2025 ના રોજ, ખિમસેપુર ઔદ્યોગિક વિસ્તારમાં બની રહેલી બીયર ફેક્ટરીના ડીએમડી અજય અરોરા, એસબીઆઈના વડા સુમિત શર્મા અને બીપીઓ રાકેશ ટીકુ, ભોપાલથી બપોરે 3:૦૦ વાગ્યે ફેક્ટરીના બાંધકામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. તેઓ સવારે 10:30 વાગ્યે જેટ સર્વિસ એવિએશન પ્રાઇવેટ લિમિટેડના ખાનગી જેટ, વીટી ડેઝમાં ભોપાલ જવા રવાના થયા. ટેકઓફ દરમિયાન, વિમાન નિયંત્રણ બહાર ગયું અને નજીકની ઝાડીઓમાં ક્રેશ થયું.