Publish Date: Mon, 13 Dec 2021 (14:02 IST)
Updated Date: Mon, 13 Dec 2021 (14:06 IST)
શ્રી કાશી વિશ્વનાથધામના લોકાર્પણ માટે વારાણસી પહોંચીને નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું કે 'હું કાશી આવીને અભિભૂત છું.'
શ્રી કાશ વિશ્વનાથધામનું લોકાર્પણ : 16 લાખ લાડુઓનો પ્રસાદ ઘરે-ઘરે વહેંચવામાં આવશે
શ્રી કાશી વિશ્વનાથધામના લોકાર્પણના કાર્યક્રમ માટે ત્રણ હજાર જેટલા વીઆઈપી મહેમાન વારાણસી આવ્યા છે. ભાજપશાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ ઉપરાંત સાંસદો અને ધારાસભ્યો પણ બોલાવવામાં આવ્યા છે. તેમણે દેશભરમાંથી આવતા સાધુ-સંતોના સ્વાગતની જવાબદારી આપવામાં આવી છે.
વારાણસીમાં એક મહિનાનો ઉત્સવ પણ યોજવામાં આવશે જેનું નામ "ભવ્ય કાશી-દિવ્ય કાશી" છે. આ કાર્યક્રમમાં કાશીવાસીઓને જોડવા માટે 16 લાખ લાડુઓનો પ્રસાદ તૈયાર કરવનામાં આવ્યો છે.
કાર્યકર્તાઓએ આ પ્રસાદ લોકોને તેમના ઘરે આપવા જશે.