Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પદ્મ પુરસ્કારોનુ એલાન - વિરાટ, સાક્ષી સાથે ગુમનામીમાં કામ કરનારાઓને પણ મળ્યા પુરસ્કાર

પદ્મ પુરસ્કારોનુ એલાન - વિરાટ, સાક્ષી સાથે ગુમનામીમાં કામ કરનારાઓને પણ મળ્યા પુરસ્કાર
નવી દિલ્હી. , બુધવાર, 25 જાન્યુઆરી 2017 (15:41 IST)
સરકારે બુધવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. જેમા પદ્મશ્રી મેળવનારા મુખ્ય લોકોમાં વિરાટ કોહલી, સાક્ષી મલિક, દીપા કર્માકર, વિકાસ ગોવાડ, બોલીવુડથી અનુરાધા પોંડવાલ, કૈલાશ ખેર અને સંજૂવ કપૂર જેવી હસ્તિયોનો સમાવેશ છે.  આ સાથે નેપાળની અનુરાધા કોઈરાલાને સામાજીક કાર્યો માટે પદ્મશ્રી અને ડૉ. નપુસકરને સફાઈ માટે પદ્મશ્રીથી પુરસ્કૃત કરવામાં આવ્યા. 
 
આમને પણ મળ્યા એવોર્ડ 
 
થંગાવેલુ, અશોક કુમાર ભટ્ટાચાર્ય અને પ્રોફેસર હરિકૃષ્ણ સિંહે પણ પદ્મશ્રી આપવામાં આવ્યો છે. આ સાથે જ પદ્મ પુરસ્કાર મેળવનારી અન્ય હસ્તિયોમાં મણિપુઅરના વારેપ્પા નબા નેઈલ, લેખક નરેન્દ્ર કોહલી, એલિ અહમદ, સિક્કિમના વેરકા બહાદુર, પત્રકાર ભાવના સોમૈયા, કાશ્મીરના કાશીનાથ પંડિત, સાધુ મહાર, ટીકે મૂર્તિ, મધુબની પેટિંગની બાઓ દેવી અને સિબ્બલ કંવલને પણ પુરસ્કાર મળ્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાબરમતિ રિવરફ્રન્ટ પર આકર્ષક પેડેસ્ટ્રિયનબ્રિજ બનશે