Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નિર્ભયા કેસ મામલે 17 ડિસેમ્બરે સુનાવણી

નિર્ભયા કેસ મામલે 17 ડિસેમ્બરે સુનાવણી
, શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (10:00 IST)
દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા નિર્ભયા ગૅંગરેપ મામલે ચાર આરોપીને મોતની સજાનો આદેશ અપાયો છે.
ત્યારે ચાર આરોપીમાંથી એક અક્ષય કુમાર સિંહે પુનઃવિચારની અરજી દાખલ કરેલી છે, જેના પર સુપ્રીમ કોર્ટ 17 ડિસેમ્બરે સુનાવણી કરશે.
 
ત્રણ જજોની બૅન્ચ આ પુનઃવિચાર અરજી પર સુનાવણી કરશે.
 
પોતાની અરજીમાં અક્ષય કુમારે વર્ષ 2017માં અપાયેલા મૃત્યુદંડના નિર્ણય પર કોર્ટ સમક્ષ પુનઃવિચારની માગ કરી છે.
 
આ પહેલાં ગત વર્ષે આ મામલે ત્રણ અન્ય આરોપીઓ મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માની પુનઃવિચારની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
 
કોર્ટે કહ્યું હતું કે આ દોષિતોની મૃત્યુદંડની સજા પર પુનઃવિચાર કરવાનો કોઈ આધાર નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતીય પાસપોર્ટ પર કમળનું નિશાન, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ