Publish Date: Fri, 07 Apr 2023 (14:42 IST)
Updated Date: Fri, 07 Apr 2023 (14:44 IST)
CBSE 10th-12th Exam News: CBSE એ બોર્ડ પરીક્ષા 2024 માટે તેની મૂલ્યાંકન યોજનામાં ફેરફારોની જાહેરાત કરી છે. જેના મુજબ બોર્ડની તરફથી બહુવિકલ્પીય પ્રશ્નો (MCQs) પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમજ ટૂંકા અને લાંબા જવાબના પ્રશ્નોને આપવામાં આવતા વેઇટેજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફારો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ની ભલામણોને અનુરૂપ છે. બોર્ડનું માનવું છે કે આનાથી બાળકો રૉટ લર્નિંગને બદલે ક્રિએટિવ વસ્તુઓ પર વધુ ધ્યાન આપી શકશે.
હોમ શોપિંગ સ્પ્રી - સૌથી વધુ વેચાતા ઘર અને રસોડાનાં ઉપકરણો પર 70% સુધીની છૂટ મેળવો.
જો કે, આ ફેરફારો હજુ અમલમાં આવ્યા નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તેનો અમલ 2023-24 શૈક્ષણિક સત્રથી કરવામાં આવશે. તે જ સમયે, નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) માં, ધોરણ 12 માં બોર્ડની પરીક્ષા બે વાર લેવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. તેમજ 10માં 6ને બદલે 8 વિષયો પાસ કરવાનું ફરજિયાત બનાવી શકાય છે.