Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેહરાદૂનમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે મોટી દુર્ઘટના, 4 છોકરીઓ દાઝી ગઈ

દેહરાદૂનમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે મોટી દુર્ઘટના, 4 છોકરીઓ દાઝી ગઈ
, શુક્રવાર, 7 એપ્રિલ 2023 (08:30 IST)
ઉત્તરાખંડના દેહરાદૂનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટના કારણે એક ઘરમાં આગ લાગી હતી અને આ દુર્ઘટનામાં 4 છોકરીઓના મોત થયા હતા. આ ઘટના દેહરાદૂનના ચકરાતા તહસીલના તિયુની વિસ્તારમાં બની હતી. આગ લાગ્યા બાદ 4 છોકરીઓ તેમાં ફસાઈ ગઈ હતી અને આગ લાગવાને કારણે તેઓના મોત થયા હતા. ચકરાતાના ડેપ્યુટી કલેક્ટર યુક્ત મિશ્રાએ જણાવ્યું હતું કે લગભગ 5 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ભીષણ આગના કારણે લાકડાનું મકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગ્યા બાદ એસડીઆરએફની મદદથી અઢીથી 12 વર્ષની વયની ચાર છોકરીઓની શોધખોળ કરવામાં આવી હતી, જોકે બાદમાં જિલ્લા પ્રશાસને તેમના મૃત્યુની જાણકારી આપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2023, KKR vs RCB HIGHLIGHTS:આરસીબીની શરમજનક હાર, KKR સામે જીતેલી મેચ ગુમાવી