Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Karnataka: કર્ણાટકના મઠમાંથી પુજારીની લટકતી લાશ મળી, સુસાઈડ નોટથી ખુલશે મોતનું રહસ્ય

suicide
, બુધવાર, 26 ઑક્ટોબર 2022 (17:04 IST)
કુદુર પોલીસ સ્ટેશનના વડાએ જણાવ્યું કે, બસવલિંગા સ્વામીની કથિત આત્મહત્યા સોમવારે સવારે રામનગર જિલ્લાના મગડી નજીકના કેમ્પાપુરા ગામમાં થઈ હતી. તેનો મૃતદેહ મંદિરના પૂજા ઘરની બારીમાંથી લટકતો મળી આવ્યો હતો.
 
કુદુર પોલીસ સ્ટેશનના વડાએ જણાવ્યું કે, બસવલિંગા સ્વામીની કથિત આત્મહત્યા સોમવારે સવારે રામનગર જિલ્લાના મગડી નજીકના કેમ્પાપુરા ગામમાં થઈ હતી. તેનો મૃતદેહ મંદિરના પૂજા ઘરની બારીમાંથી લટકતો મળી આવ્યો હતો.
 
બસવલિંગા સ્વામી 1997માં આ 400 વર્ષ જૂના આશ્રમના મુખ્ય પૂજારી બન્યા હતા. સોમવારે સવારે 6 વાગ્યાની આસપાસ કેટલાક શિષ્યોએ તેને લટકતો જોયો અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે નીલમંગલાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
 
કેટલાક લોકો પર ચારિત્ર્યની હત્યાનો આરોપ
પોસ્ટમોર્ટમ બાદ લાશને મઢને સોંપવામાં આવી હતી. પોલીસને તેના રૂમમાંથી બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. મઠના સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો તેના ચારિત્ર્યની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે હજુ સુધી મીડિયાને સુસાઈડ નોટની વિગતો આપી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત ચૂંટણી : કેજરીવાલની ચલણી નોટ પર ગણેશ-લક્ષ્મીજીની તસવીર મૂકવાની અપીલ અંગે વિવાદ કેમ?