Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Holiday on 22 January- 22મીએ જાન્યુઆરીએ દેશભરમાં રજા

Ram Mandir Ayodhya
, ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (15:55 IST)
- 22મીએ જાન્યુઆરીએ દેશભરમાં રજા
-  તીર્થયાત્રા, જળયાત્રા સહિત અન્ય અનેક પૂજા 
-  ઘરોમાં દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન ખવડાવવા

Holiday on 22 January- 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે. રામલલાની મૂર્તિ ગર્ભગૃહની અંદર પહોંચી ગઈ છે. અભિષેકની પ્રક્રિયાના ભાગરૂપે, રામલલાની મૂર્તિને ગઈકાલે વિવેક સૃષ્ટિ ભવનમાંથી લાવવામાં આવી હતી અને રામ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવી હતી. આજે તેને નિર્ધારિત સ્થળે સ્થાપિત કરવામાં આવશે. આજે સાંજે તીર્થયાત્રા, જળયાત્રા સહિત અન્ય અનેક પૂજા કાર્યક્રમો થશે.
 
22 જાન્યુઆરીને રામલાલાને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસમાં રજા જાહેર કરી છે. જેના કારણે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગોવા, છત્તીસગઢ, હરિયાણા જેવા 5 રાજ્યોમાં રજા જાહેર કરવામાં આવી છે. 
 
અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકના દિવસે 22 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં અડધા દિવસની રજા હોઈ શકે છે. દેશભરની સરકારી કચેરીઓ અને શાળા-કોલેજોમાં સવારથી બપોરે 2.30 વાગ્યા સુધી અડધા દિવસની રજા રહેવાની શક્યતા છે. આમાં કેન્દ્ર સરકારની કચેરીઓ અને શાળાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ એટલા માટે છે જેથી લોકો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે. પીએમ મોદીએ રામ મંદિરને લઈને તમામ મંત્રીઓ પાસેથી ફીડબેક લીધા છે.
 
તમને જણાવી દઈએ કે મંત્રીઓને 22 જાન્યુઆરીએ તેમના ઘરોમાં દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન ખવડાવવા માટે કહેવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનામાં ફરી પાછો કડાકો