Publish Date: Wed, 03 Jul 2024 (10:49 IST)
Updated Date: Wed, 03 Jul 2024 (10:52 IST)
Hathras Satsang Stampede:હાથરસ સત્સંગમાં નાસભાગ પછી 100થી વધારે લોકોની મોત થઈ ગઈ છે. યુપીમાં થયેલ આ દુખદ ઘટના પછી આખુ દેશમાં કોહરામ મચાયુ છે. ડ્યુટી પર એક તૈનાત સૈનિક મૃતદેહોના ઢગલા જોઈને ચોંકી ગયો અને તેને હાર્ટ એટેક આવ્યો.
જેનાથી તેમની મોત થઈ ગઈ. મૃતક સિપાહી એટાના ક્યીઆરટી અવાગઢ માં તૈનાત હતા. નાસભાગ દુર્ઘટના પછી સિપાહીની ડ્યુટી તે જગ્યા પર લાગી હતી જ્યા લાશના ઢગલા રાખ્યા હતા.
લાશના ઢગલા જોઈને સૈનિક ગભરાઈ ગયો
કોન્સ્ટેબલ રવિ યાદવ મૂળ અલીગઢનો રહેવાસી હતો. નાસભાગ બાદ જ્યારે મૃતદેહોને મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા ત્યારે તેને ત્યાં ફરજ પર મૂકવામાં આવ્યો હતો. આટલા મૃતદેહો જોઈને આઘાત જ સૈનિકના મોતનું કારણ બન્યો. મૃતદેહ જોઈને કોન્સ્ટેબલની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી અને તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. જે જગ્યાએ મૃતદેહો રાખવામાં આવ્યા હતા, ત્યાં રડતા પરિવારજનોની હાલત કફોડી હતી.
આ ભયાનક દ્રશ્ય જોઈને બધા ધ્રૂજી ઉઠ્યા.
આ જ સ્થળે, કેટલાક લોકો સત્સંગ દરમિયાન છૂટા પડી ગયેલા તેમના બાકીના પરિવારોની શોધમાં અહીં આવ્યા હતા. નાસભાગ બાદ ઘટનાસ્થળેનું ભયાનક દ્રશ્ય જોઈને કોઈ પણ ચોંકી જશે. ઘટના સ્થળે અને સરકારી હોસ્પિટલની અંદર ખૂબ જ હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. આ નાસભાગમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોમાં આંસુથી ગમગીની છવાઈ ગઈ છે. જેમણે લાશોના ઢગલા જોયા તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા ભાઈ.