Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરીબો ભૂખે મરે છે ને ઉદ્યોગપતિઓના ડાયરામાં રૂપિયાની રેલમછેલ

ગરીબો ભૂખે મરે છે ને ઉદ્યોગપતિઓના ડાયરામાં રૂપિયાની રેલમછેલ
, બુધવાર, 28 માર્ચ 2018 (14:02 IST)
ગત રવિવારે સાંજે બાબરાના ચમારડી ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયું હતું. જેમાં 253 નવયુગલોએ પ્રભૂતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મોમારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્નનું આયોજન સુરતના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તપરા દ્વારા કરવામાં આવ્યું હતું.
webdunia

 ત્યારે સમૂહલગ્નના આયોજનને લઇને ગઇકાલે રાત્રે ભજનસંધ્યા અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોપાલ વસ્તપરાએ લાખો રૂપિયાનો વરસાદ કરતા રૂપિયાના ઢગલા થઇ ગયા હતા. ભજન સંધ્યામાં ભજનીક સુખરામ ધામેલીયા અને લાલજી મોવલીયાએ ભજનની રમઝટ બોલાવી હતી. આથી લોકો સહિત મહાનુભાવોએ 10ની નોટથઈ માંડી 100 રૂપિયા સુધીની નોટોનો વરસાદ કર્યો હતો. સ્ટેજ પર રૂપિયાની ચાદર પથરાઇ ગઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો સ્ટેજ નીચે પણ રૂપિયાની રેલમછેલ જોવા મળી હતી.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાબરકાંઠામાં 11 વર્ષની છોકરીની લાશ 15 દિવસથી માચડા પર પડી રહી છે