Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમન ચાંડીનું નિધન

Oommen Chandy
નવી દિલ્હી: , મંગળવાર, 18 જુલાઈ 2023 (07:21 IST)
કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમેન ચાંડીનું નિધન થયું છે. કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરણને ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી. ઓમેન લાંબા સમયથી બીમાર હતા. ઓમેનના પુત્ર ચાંડીએ જણાવ્યું કે અપ્પાએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા. તેઓ બેંગ્લોરમાં કેન્સરની સારવાર લઈ રહ્યા હતા.

 
કેરળ કોંગ્રેસ અધ્યક્ષે શોક વ્યક્ત કર્યો
કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરને ઓમેન ચાંડીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, 'પ્રેમની શક્તિથી દુનિયા પર વિજય પ્રાપ્ત કરનારા  એક રાજાની વાર્તાનો કરુણ અંત થયો. આજે, હું દિગ્ગજ ઓમેન ચાંડીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમણે અસંખ્ય લોકોના જીવનને સ્પર્શ્યું અને તેમનો વારસો હંમેશા અમારી આત્મામાં ગુંજતો રહેશે.
 
તબિયત હતી ખરાબ  
ઓમેન ચાંડીએ બે વખત કેરળના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. વર્ષ 2019 થી તેમની તબિયત સારી ન હતી. ગળામાં તકલીફ હોવાથી તેમને જર્મની લઈ જવામાં આવ્યા હતા.  તેઓ 1970 થી રાજ્ય વિધાનસભામાં પુથુપલ્લી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.
 
કેરળના સીએમએ શોક વ્યક્ત કર્યો
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પૂર્વ મુખ્યમંત્રી ઓમેન ચાંડીના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, 'અમે એ જ વર્ષે વિધાનસભામાં ચૂંટાયા હતા. આ તબક્કામાં જ અમે વિદ્યાર્થી જીવન દ્વારા રાજકીય ક્ષેત્રે પ્રવેશ્યા હતા. અમે તે જ સમયે જાહેર જીવન જીવ્યા હતા અને તેમને ગુડબાય કહેવું ખૂબ મુશ્કેલ છે. ઓમેન ચાંડી એક સક્ષમ પ્રશાસક અને લોકોના જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલા વ્યક્તિ હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જમ્મુના કટરામાં ભૂકંપના કારણે ધ્રૂજી ગઈ ધરતી, રિક્ટર સ્કેલ પર માપવામાં આવી આટલી તીવ્રતા