Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ફૂટઓવરબ્રિજ પડ્યો, સાતને ઈજા

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ફૂટઓવરબ્રિજ પડ્યો, સાતને ઈજા
, રવિવાર, 27 નવેમ્બર 2022 (21:42 IST)
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રેલવેસ્ટેશન પરનો એક ફૂટઓવરબ્રિજ તૂટી પડ્યો હોવાની દુર્ઘટના ઘટી છે. જેમાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.
 
બલ્લારશાહ રેલવેસ્ટેશન પરના એક અધિકારીએ બીબીસીને ફોન પર જણાવ્યું હતું કે આ ઘટનામાં 13 મુસાફરો ફુટઓવરબ્રિજથી પાટા પર ખાબક્યા હતા અને એમાંથી સાત લોકોને ઈજા પહોંચી છે.
 
રેલવે પ્રોટેક્શન ફૉર્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર છ ઈજાગ્રસ્તોને ચંદ્રપુર સ્ટીલ હૉસ્પિટલ લઈ જવાયા છે. આ દુર્ઘટના રવિવાર સાંજે 4:45 વાગ્યે ઘટી હતી.
 
જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે મુસાફરો પ્લૅટફૉર્મ નંબર 1થી 4 તરફ જઈ રહ્યા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MS Dhoni: બાદશાહના આ ગીત પર ધોની-હાર્દિકે કર્યો ડાન્સ, VIDEO જોયા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ!