Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓડિશાના જાજપુરમાં બસ પુલ પરથી પડી જતાં પાંચ લોકોના મોત થયા છે

ઓડિશાના જાજપુરમાં બસ પુલ પરથી પડી જતાં પાંચ લોકોના મોત થયા છે
, મંગળવાર, 16 એપ્રિલ 2024 (10:25 IST)
Odisha News- ઓડિશાના જાજપુર જિલ્લામાં સોમવારે રાત્રે કોલકાતા જતી બસ પુલ પરથી પડી જતાં એક મહિલા સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને લગભગ 40 લોકો ઘાયલ થયા હતા. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ દુર્ઘટના રાત્રે લગભગ 9 વાગે નેશનલ હાઈવે-16ના બારાબતી પુલ પર થઈ જ્યારે 50 મુસાફરો સાથેની બસ પુરીથી કોલકાતા જઈ રહી હતી.
 
ધર્મશાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર તપન કુમાર નાઈકે જણાવ્યું હતું કે, 'અકસ્માતમાં ચાર પુરુષ અને એક મહિલાના મોત થયા છે. લગભગ 40 લોકો ઘાયલ છે અને તેમાંથી 30ને કટક એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિના પૈસા હડપ કરવા માટે તે દરરોજ કોફીમાં બ્લીચ મિક્સ કરીને આપતી હતી, આ રીતે ખુલ્લી પડી પત્નીનું રહસ્ય