Publish Date: Thu, 20 Feb 2025 (18:05 IST)
Updated Date: Thu, 20 Feb 2025 (18:06 IST)
મુંબઈ પોલીસને ગુરુવારે સવારે એક અનામી કોલ આવ્યો હતો, જેમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીભર્યા કોલ્સ ગોરગાંવ અને જેજે માર્ગ પોલીસ સ્ટેશન તેમજ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં મળ્યા હતા.
ગુરુવારે સવારે એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની કારને ઉડાવી દેવાની ધમકી આપી હતી. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ફોન કરનારે કહ્યું હતું કે એકનાથ શિંદેની કારમાં બોમ્બ મુકવામાં આવશે અને તેને ઉડાવી દેવામાં આવશે. આ ધમકી બાદ પ્રશાસન તરત જ સક્રિય થઈ ગયું અને શિંદેની સુરક્ષા કડક કરી દેવામાં આવી