Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીના તુગલકાબાદની ઝૂંપડપટ્ટીઓમાં લાગી આગ, 200 ઝૂંપડીઓ બળીને ખાખ

દિલ્હીના તુગલકાબાદની ઝૂંપડપટ્ટીઓમાં લાગી આગ, 200 ઝૂંપડીઓ બળીને ખાખ
, મંગળવાર, 26 મે 2020 (10:48 IST)
દિલ્હીની તુગલકાબાદ ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાના સમાચાર આવ્યા છે. ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના લગભગ 18-20 વાહનો પહોંચી ગયા છે. અત્યાર સુધી, કોઈપણ પ્રકારનું જાન-માલના નુકસાનની માહિતી સામે આવી નથી. ડીસીપી દક્ષિણ પૂર્વ રાજેન્દ્ર પ્રસાદ મીનાએ આગ વિશે માહિતી આપી. ફાયર વિભાગે આશરે 30 વાહનોની મદદથી પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. 
 
આગને કાબૂમાં રાખતી વખતે દિલ્હી દક્ષિણ પૂર્વના ડીસીપી રાજેન્દ્ર પ્રસાદ મીનાએ જણાવ્યું હતું કે અમને સવારે લગભગ 1 વાગ્યે આગ વિશે જાણ કરવામાં આવી હતી. 18-20 ફાયર ટેન્ડર ઘટના સ્થળ પર છે. ફાયર એક્શન ચાલી રહ્યું છે. હજી સુધી કોઈ જાનહાની થઈ નથી. બાદમાં ફાયર બ્રિગેડે બીજા અનેક  વાહનો મંગાવ્યા હતા. ત્યારબાદ આગને કાબુમાં લઈ શકાય. 
 
દક્ષિણ દિલ્હી ઝોનના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.એસ. તુલીએ જણાવ્યું હતું કે તુગલકાબાદ ગામમાં ભારે આગને કાબૂમાં કરવા માટે લગભગ 30 ફાયર ટેન્ડરો આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. હાલમાં આગ કાબૂમાં છે અને ફાયર અધિકારીઓ આગના કારણો શોધવા પ્રયાસ કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના વાઇરસ : શું શાકાહારી લોકોને ચેપ નથી લાગતો?