Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરનાથ યાત્રા પર ચરમપંથી હુમલાનો ખતરો: સેના

અમરનાથ યાત્રા પર ચરમપંથી હુમલાનો ખતરો: સેના
, રવિવાર, 26 જૂન 2022 (11:01 IST)
કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા પર ચરમપંથી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
 
સેનાએ શનિવારે બૉર્ડરને અડીને આવેલી આઠ કિલોમીટર લાંબી ગુફા શોધી છે.
 
હિંદી દૈનિક હિંદુસ્તાન સાંબાના પોલીસ અધિકારી જી. આર. ભારદ્વાજને ટાંકીને લખે છે કે કેટલીક ગુપ્તા માહિતીના આધારે ખબર પડી છે કે ચરમપંથીઓ યાત્રાને ખલેલ પહોંચાડવા માટે બૉર્ડર પારથી ઘુસણખોરી કરવાનો કારસો ઘડી રહ્યા છે, જેના લીધે સતર્કતા વધારી દેવામાં આવી છે.
 
43 દિવસની અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે. આ યાત્રા બે રસ્તા પરથી યોજાય છે. પહેલો રસ્તો દક્ષિણ કાશ્મીરના પહલગામમાં નુનવાનના પારંપરિક 48 કિલોમીટરનો અને બીજો રસ્તો મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં બાલટાલથી 14 કિલોમીટરનો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદની હૉસ્પિટલમાં આગ ફેલાતા 13 નવજાત સહિત 200થી વધુ લોકોને બચાવાયાં