Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્રીજી લહેરના પીક નિકટ હોવા છતા કોરોનાના કેસમાં જોરદાર ઉતાર ચઢાવ, મહારાષ્ટ્ર-કર્ણાટકે વધારી ચિંતા

ત્રીજી લહેરના પીક નિકટ હોવા છતા કોરોનાના કેસમાં જોરદાર ઉતાર ચઢાવ, મહારાષ્ટ્ર-કર્ણાટકે વધારી ચિંતા
, શનિવાર, 22 જાન્યુઆરી 2022 (09:32 IST)
દેશમાં કોરોનાની ત્રીજી લહેર  (Corona Third Wave) ચાલી રહ છે પણ હવે મામલામાં રોજ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. એક્સપર્ટ્સનુ માનીએ તો અનેક રાજ્યોમાં ત્રીજા લહેરની પીક (Third Wave Peak) આવી ચુકી છે. આમ છતાં, કોરોનાના કેસો ઘટ્યા બાદ ફરી એકવાર વધી રહ્યા હોવાનું જણાય છે. જે રાજ્યોમાં કોરોનાના કેસમાં સૌથી વધુ વધઘટ જોવા મળી રહી છે ત એમા મહારાષ્ટ્ર (Maharashtra) સૌથી ઉપર જ્યાં શુક્રવારે 48 હજારથી વધુ કેસ નોંધાયા છે. અહીં ચિંતા એટલા માટે પણ છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યા સ્થિર છે. ગુરુવારે પણ અહીં લગભગ 46 હજાર કેસ નોંધાયા હતા. તે જ સમયે, એક દિવસમાં કોરોના કેસમાં 2 હજારનો વધારો ચિંતામાં વધારો કરશે.
 
મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટક પણ ચિંતાનો વિષય છે. અહીં શુક્રવારે પણ 48 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે આ આંકડો અહીં 47 હજારની નજીક હતો. આવી સ્થિતિમાં, આ સમયે સૌથી વધુ ચિંતા આ બે રાજ્યો વિશે વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ મામલાઓમાં ઉતાર-ચઢાવની વાત કરીએ તો આ યાદીમાં કેરળનું નામ પણ સામેલ છે જ્યાં શુક્રવારે 41 હજાર કેસ સામે આવ્યા છે. ગુરુવારે આ આંકડો 46 હજાર હતો. એટલે કે સીધા 5 હજાર કેસ ઓછા છે. જો કે મહારાષ્ટ્રની સ્થિતિ જોતા અહીં પણ કંઈ કહેવું મુશ્કેલ છે. આ બધાની વચ્ચે આખા દેશ અને રાજ્યોમાં કોરોનાની સ્થિતિ પર એક નજર કરીએ.
 
 
દેશમાં કોરોનાની સ્થિતિ
 
ભારતમાં કોરોના વાયરસે ફરી એકવાર જોર પકડવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,47,254 નવા કેસ નોંધાયા છે. આ પછી દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,85,66,027 થઈ ગઈ છે. તે જ સમયે, કોરોનાવાયરસના ખતરનાક ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 9,692 લોકો આ પ્રકારથી સંક્રમિત થયા છે.
 
મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા વધીને 20,18,825 થઈ ગઈ છે, જે કુલ કેસના 5.23 ટકા છે. દેશમાં 235 દિવસમાં એક્ટિવ કેસની આ સંખ્યા સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના એક્ટિવ કેસોની સંખ્યામાં 94,774નો વધારો થયો છે. સાથે જ સંક્રમણના કારણે વધુ 703 લોકોના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 4,88,396 થઈ ગયો છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર ઘટીને 93.50 ટકા થઈ ગયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Delhi Crime News: પુષ્પા ફિલ્મ જોઈને 3 સગીરે મળીને કરી એક વ્યક્તિની હત્યા, ધરપકડ