Publish Date: Sun, 18 Apr 2021 (09:07 IST)
Updated Date: Sun, 18 Apr 2021 (09:16 IST)
કોરોનાની બીજી લહેર દરેક દિવસ નવો રેકર્ડ બનાવી રહી છે. જે તીવ્રતાથી કોરોના કેસ સામે આવી રહ્યા છે. તે દેશ માટે ચિંતાજનક છે. વર્ડોમીટરના મુજબ દેશમાં શનિવારે રાત્રે 12 વાગ્યે સુધી 24 કલાકમા& કોર્નાના રેકાર્ડ 2,60,553 નવા કેસ સામે આવ્યા છે. જેનાથી દેશમાં કોરોનાના કુળ સંક્રમિતની સંખ્યા વધીને 1,42,82,461 થઈ ગઈ છે. મહામારીની શરૂઆતથી લઈને એક દિવસમાં નવા સંક્રમિતની આ સૌથી વધારે સંખ્યા છે. આ પહેલીવાર છે જ્યારે નવા કેસ અઢી લાખથી વધારે આવ્યા છે.
આંકડા પ્રમાણે શનિવારે આ સમયનાં 1493 દર્દીઓની મોત થઈ ગઈ છે.સતત બીજા દિવસે રેકાર્ડ મોતના કેસ દાખલ થયા છે. કોરોનાની પહેલી લહેરમાં સૌથી વધારે મોતનો આંકડો 1290 હતો જેને 16 સેપ્ટેમ્બરએ દાખલ કરાયો હતો. પણ એક દિવસમાં 1341 નવા સંક્રમિતની સાથે આ આંકડા એક દિવસ પહેલા જ તૂડી ગયો છે. અત્યારે દેશમા& મહામારીથી મરનારની સંખ્યા 1,77,168 સુધી ગઈ છે. તેની સાથે કોરોનાની સારવાર દર્દીઓની સંખ્યા 18 લાખ થઈ ગઈ છે.
58 ટકા નવા સંક્રમિત માત્ર પાંચ રાજ્યોમાં
દેશમાં દરરોજ મળતા કોરોનાના દર્દીઓમાંથી સાડા 58.4 ટકા માત્ર ચાર રાજ્યોમાં છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્લી અને છત્તીસગઢ શામેલ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 67, 123 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 27,334, દિલ્લીમાં 24,375, છત્તીસગઢ 16,083, કર્નાટકમાં 17,489 કેસ સામે આવ્યા છે.