Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona India Update - દેશમાં કોરોનાના 12781 નવા દર્દી મળ્યા, 18 મોત નોંધાઈ, એક્ટિવ કેસની સંખ્યા 76 હજારના પાર

Corona India Update - દેશમાં કોરોનાના 12781 નવા દર્દી મળ્યા, 18 મોત નોંધાઈ, એક્ટિવ કેસની સંખ્યા 76 હજારના પાર
, સોમવાર, 20 જૂન 2022 (11:04 IST)
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 12 હજારથી ઉપર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,781 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે અને 18 મૃત્યુ નોંધાયા છે. પહેલા દિવસની તુલનામાં નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. રવિવારે 12,899 નવા રેકોર્ડ નોંધાયા હતા. સક્રિય કેસોની સંખ્યા 4226 વધીને 76,700 થઈ ગઈ છે તેની સાથે જ દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા વધીને અત્યાર સુધીમાં 5 લાખ 24 હજાર 873 થઈ ગઈ છે. 
 
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 8,537 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3085 લોકો છે જેમણે કોરોનાને માત આપી છે. આ પછી કેરળમાં 2204 અને દિલ્હીમાં 1104 દર્દીઓ કોરોનાની પકડમાંથી બહાર આવ્યા છે. દેશમાં રિકવરી રેટ 98.61 ટકા છે.
 
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા કુલ કેસના 0.18 ટકા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સક્રિય કેસ કેરળમાં 1161 વધ્યા છે. તે પછી મહારાષ્ટ્રમાં 918, તમિલનાડુમાં 449, દિલ્હીમાં 423 સક્રિય કેસ નોંધાયા હતા. મિઝોરમ એકમાત્ર રાજ્ય રહ્યું જ્યાં સક્રિય કેસમાં ઘટાડો થયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં લાઇનમેનના પદો પર બમ્પર ભરતી નિકલી, 10 પાસ કરી શકે છ એપ્લાય